
2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાના પાકિસ્તાનના યુ-ટર્નથી ICC ને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થતું બચી ગયું છે. PCB, ICC અને BCB વચ્ચે લાહોરમાં કલાકો સુધી ચાલેલી બેઠકો બાદ, ટીમ આખરે પાકિસ્તાન સામે રમવા માટે સંમત થયું હતું.

હવે, 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે, તેથી ભારતથી કોલંબોની ટિકિટના ભાવમાં પણ ચાર ગણો વધારો થયો છે. એક અહેવાલ મુજબ, મુંબઈથી કોલંબોની ફ્લાઇટ ટિકિટનો ભાવ ₹10,000 થી વધીને ₹60,000 થઈ ગયો છે.

એક અહેવાલ મુજબ, ICCના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી આશરે $174 મિલિયન એટલે કે 1500 કરોડ રૂપિયાથી વધુ રકમ ડૂબવાથી બચી ગઈ.

પાકિસ્તાને બાંગ્લાદેશને ટેકો આપવાનું કારણ આપીને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાન સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામે રમશે નહીં.

આ સમગ્ર મામલો BCCI દ્વારા મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી દૂર કર્યા પછી શરૂ થયો હતો, અને પછી પાકિસ્તાન પણ તેમાં જોડાયું હતું. આ જ વિવાદને કારણે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી ખસી ગયું હતું. (PC: Getty/PTI)