
નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત-વિરાટ-જાડેજા ઉપરાંત મોહમ્મદ સિરાજનો ગ્રેડ પણ ઘટાડી શકાય છે. તે હાલમાં A ગ્રેડમાં છે. પરંતુ, એવું લાગતું નથી કે તે નવા કરારમાં આ ગ્રેડ જાળવી શકશે. બીસીસીઆઈ તેમને ગ્રેડ એ થી ગ્રેડ બી માં મૂકી શકે છે. મતલબ કે જો આવું થાય, તો તેમને પણ 2 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી વર્ષના 7 કરોડ રુપિયા મળે છે. તો ગ્રેડ એના ખેલાડીઓને 5 કરોડ રુપિયા મળે છે. ગ્રેડ બીમાં 3 કરોડ રુપિયા વર્ષમાં આપવામાં આવે છે. તો ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રુપિયા મળે છે. જો રોહિત, વિરાટ, જાડેજાને ગ્રેડ એ પ્લસ ગ્રેડથી ગ્રેડ એમાં નાંખવામાં આવે છે. તે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ તેમણે 7ના સ્થાને 5 કરોડ રુપિયા જ મળશે. એટલે 2 કરોડ રુપિયા ઓછા મળશે.

હવે સવાલ એ છે કે, નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કોને લોટરી લાગશે અને કોને નુકસાન થશે. જે ખેલાડીઓને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બીસીસીઆઈ બહાર કરવાનું વિચારી શકે છે. જેમાં રજત પાટીદાર, કે.એસ ભરત, જિતેશ શર્મા, આર અશ્વિન, આવેશ ખાન જેવા ખેલાડીોના નામ આવી શકે છે. તેમાંથી અશ્વિન તો સંન્યાસ લેવાને કારણે બહાર થઈ શકે છે.

અન્ય ખેલાડીઓ કોઈ પણ ફોર્મેટમાં નહી રહે તેનો મતલબ કે, તે ટીમમાંથી બહાર હોવાનું બની શકે છે. જેમાં અશ્વિનને છોડી બધા ખેલાડીઓ ગ્રેડ સીના છે. મતલબ કે, જે વર્ષના 1 કરોડ રુપિયા મળતા હતા. જો નવા કોન્ટ્રાક્ટથી બહાર થાય છે, તો નહી મળે.

બીસીસીઆઈ આ ખેલાડીઓને બહાર કરી શ્રેયસ અય્યરને ફરીથી કોન્ટ્રાક્ટમાં વાપસી કરીશકે છે. અય્યર સિવાય વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા 2 એવા ખેલાડીઓ છે. જેને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ હોવું લગભગ નક્કી લાગી રહ્યું છે. આ ખેલાડીઓ જો નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આવે છે. તો તેને કેટલી રકમ મળશે. તે તેના ગ્રેડિંગથી નક્કી થશે.
Published On - 11:52 am, Thu, 13 March 25