
ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.