ગૌતમ ગંભીર શા માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા નથી માંગતો ? કારણ આવ્યું સામે

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં સૌથી મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન કોણ હશે? પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરશે પરંતુ હવે સૂર્યકુમાર યાદવનું નામ સામે આવી રહ્યું છે. આખરે, નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર શું ઈચ્છે છે? શું છે હાર્દિકને કેપ્ટન ન બનાવવા પાછળનું કારણ?

| Updated on: Jul 17, 2024 | 4:57 PM
4 / 5
હાર્દિક પંડ્યાનું વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે ભાગ્યે જ સતત બે સિરીઝ રમી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ એક મોટું કારણ છે. જ્યારે  સૂર્યકુમાર યાદવ સતત રમી રહ્યો છે. લગભગ તમામમાં તે રમ્યો છે અને તેને ફિટનેસની મોટી સમસ્યા પણ નથી.

હાર્દિક પંડ્યાનું વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે ભાગ્યે જ સતત બે સિરીઝ રમી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ એક મોટું કારણ છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સતત રમી રહ્યો છે. લગભગ તમામમાં તે રમ્યો છે અને તેને ફિટનેસની મોટી સમસ્યા પણ નથી.

5 / 5
વર્ષ 2014માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તેણે સૂર્યા સાથે કામ કર્યું હતું. 2014માં સૂર્યકુમાર યાદવને KKRનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આજે સૂર્યા ટોપનો T20 બેટ્સમેન છે, તેથી તે કેપ્ટનશિપનો મોટો દાવેદાર બની ગયો છે.

વર્ષ 2014માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તેણે સૂર્યા સાથે કામ કર્યું હતું. 2014માં સૂર્યકુમાર યાદવને KKRનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આજે સૂર્યા ટોપનો T20 બેટ્સમેન છે, તેથી તે કેપ્ટનશિપનો મોટો દાવેદાર બની ગયો છે.