
2018-19ની સીઝન રૂતુરાજ માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે તેણે રણજી અને વિજય હજારે ટ્રોફી બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેણે તેને ભારત A ટીમમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. 2018-19 દેવધર ટ્રોફીમાં ભારત-બી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડિસેમ્બર 2018માં તેને 2018 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

2021માં રુતુરાજ ગાયકવાડને મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં T20 માં મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સે 2019ની IPLની ઓક્શનમાં રૂતુરાજ ગાયકવાડને રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

IPL 2023ના અંત સાથે CSK ઓપનર રુતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ક્રિકેટર ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તમામ વિધિઓ મહાબળેશ્વરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ઉત્કર્ષા એક મહિલા ક્રિકેટર છે, જે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમે છે. 2023 એશિયન ગેમ્સમાં ઋતુરાજે ભારતીય ટીમનું નેતૃત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Published On - 5:17 pm, Sun, 26 November 23