Breaking News: શુભમનના 238 રન રોહિત-વિરાટ પર ભારે પડ્યા, ICC રેન્કિંગમાં ગિલ બન્યો નંબર-2 બેટ્સમેન

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલને ICC ODI રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. વિરાટ-રોહિતને પાછળ છોડી ગિલ વિશ્વનો બીજા ક્રમનો ODI બેટ્સમેન બની ગયો છે. ગિલના માત્ર બે ઈનિંગમાં 238 રન કોહલી અને રોહિતને ભારે પડ્યા હતા.

| Updated on: Jun 24, 2026 | 5:13 PM
1 / 5
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 3-0 થી ક્લીન સ્વીપ નોંધાવી હતી. આ શ્રેણીમાં કેપ્ટન શુભમન ગિલ ટીમની જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેની ધમાકેદાર બેટિંગના કારણે હવે તેને ICC ODI રેન્કિંગમાં પણ મોટો ફાયદો મળ્યો છે.

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 3-0 થી ક્લીન સ્વીપ નોંધાવી હતી. આ શ્રેણીમાં કેપ્ટન શુભમન ગિલ ટીમની જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેની ધમાકેદાર બેટિંગના કારણે હવે તેને ICC ODI રેન્કિંગમાં પણ મોટો ફાયદો મળ્યો છે.

2 / 5
ગિલે શ્રેણીની માત્ર બે ઈનિંગમાં 238 રન ફટકાર્યા હતા. ધર્મશાલામાં તેણે અણનમ 84 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી, જ્યારે લખનૌમાં 154 રનની શાનદાર સદી ફટકારી હતી. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી મેચમાં તેને બેટિંગ કરવાની જરૂર પડી નહોતી, છતાં તેની પ્રથમ બે ઈનિંગ્સે રેન્કિંગમાં મોટો ફેરફાર કરાવ્યો છે.

ગિલે શ્રેણીની માત્ર બે ઈનિંગમાં 238 રન ફટકાર્યા હતા. ધર્મશાલામાં તેણે અણનમ 84 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી, જ્યારે લખનૌમાં 154 રનની શાનદાર સદી ફટકારી હતી. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી મેચમાં તેને બેટિંગ કરવાની જરૂર પડી નહોતી, છતાં તેની પ્રથમ બે ઈનિંગ્સે રેન્કિંગમાં મોટો ફેરફાર કરાવ્યો છે.

3 / 5
ICC દ્વારા જાહેર કરાયેલી લેટેસ્ટ ODI રેન્કિંગમાં શુભમન ગિલ ત્રણ સ્થાનનો ઉછાળો મેળવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. 791 રેટિંગ પોઈન્ટ સાથે તે હવે વિશ્વનો બીજા ક્રમનો ODI બેટ્સમેન બની ગયો છે. ગિલ અગાઉ પાંચમા સ્થાને હતો, પરંતુ આ પ્રદર્શન બાદ તે સીધો ટોપ-2 માં પહોંચ્યો છે.

ICC દ્વારા જાહેર કરાયેલી લેટેસ્ટ ODI રેન્કિંગમાં શુભમન ગિલ ત્રણ સ્થાનનો ઉછાળો મેળવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. 791 રેટિંગ પોઈન્ટ સાથે તે હવે વિશ્વનો બીજા ક્રમનો ODI બેટ્સમેન બની ગયો છે. ગિલ અગાઉ પાંચમા સ્થાને હતો, પરંતુ આ પ્રદર્શન બાદ તે સીધો ટોપ-2 માં પહોંચ્યો છે.

4 / 5
શુભમન ગિલના આ ઉછાળાની અસર ભારતીય ટીમના બે દિગ્ગજ બેટ્સમેનો પર પણ પડી છે. વિરાટ કોહલી એક સ્થાન નીચે સરકીને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. બીજી તરફ, રોહિત શર્મા 754 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત રહ્યો છે, પરંતુ ગિલ હવે તેની ઉપર પહોંચી ગયો છે.

શુભમન ગિલના આ ઉછાળાની અસર ભારતીય ટીમના બે દિગ્ગજ બેટ્સમેનો પર પણ પડી છે. વિરાટ કોહલી એક સ્થાન નીચે સરકીને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. બીજી તરફ, રોહિત શર્મા 754 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત રહ્યો છે, પરંતુ ગિલ હવે તેની ઉપર પહોંચી ગયો છે.

5 / 5
આ શ્રેણી બાદ અન્ય ભારતીય બેટ્સમેનોને પણ ફાયદો થયો છે. શ્રેયસ અય્યર 15 મા સ્થાનેથી 14 મા સ્થાને પહોંચ્યો છે. ઈશાન કિશને 21 સ્થાનની મોટી છલાંગ લગાવી 43 મું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચેન્નાઈ વનડેમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ 84 ખેલાડીઓને પાછળ છોડીને 71 મા સ્થાને પહોંચ્યો છે. (PC:PTI/X)

આ શ્રેણી બાદ અન્ય ભારતીય બેટ્સમેનોને પણ ફાયદો થયો છે. શ્રેયસ અય્યર 15 મા સ્થાનેથી 14 મા સ્થાને પહોંચ્યો છે. ઈશાન કિશને 21 સ્થાનની મોટી છલાંગ લગાવી 43 મું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચેન્નાઈ વનડેમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ 84 ખેલાડીઓને પાછળ છોડીને 71 મા સ્થાને પહોંચ્યો છે. (PC:PTI/X)

Follow Us