Breaking News: RCBની વધી મુશ્કેલી, વિરાટ કોહલીની ફિટનેસ પર સસ્પેન્સ, લખનૌ સામેની મેચમાં નહીં રમે?

RCB vs LSG મેચ પહેલા વિરાટ કોહલીની ફિટનેસ ચર્ચાનો મુખ્ય વિષય બની છે. એડીની ઈજાને કારણે તેના રમવા અંગે સસ્પેન્સ હજી યથાવત છે. ફેન્સ અને ટીમ મેનેજમેન્ટ બંને તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મેચ પહેલા ટોસ સમયે જ કોહલીના રમવા અંગે ખુલાસો થશે.

| Updated on: Apr 15, 2026 | 4:55 PM
1 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજનો મુકાબલો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાનો છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા વિરાટ કોહલીની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય બની છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજનો મુકાબલો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાનો છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા વિરાટ કોહલીની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય બની છે.

2 / 6
કોહલીએ છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં 50 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. પરંતુ બેટિંગ પછી તે મેદાનમાં ફિલ્ડિંગ કરવા માટે આવ્યો નહોતો, જેનાથી ઈજાની અટકળો તેજ બની.

કોહલીએ છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં 50 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. પરંતુ બેટિંગ પછી તે મેદાનમાં ફિલ્ડિંગ કરવા માટે આવ્યો નહોતો, જેનાથી ઈજાની અટકળો તેજ બની.

3 / 6
અહેવાલો મુજબ, કોહલીને એડીમાં ઈજા થઈ છે, જેના કારણે તેને દોડવામાં તકલીફ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે પગમાં પટ્ટી બાંધીને ફિઝિયોથી સારવાર લેતો જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સમાં ચિંતા વધી છે.

અહેવાલો મુજબ, કોહલીને એડીમાં ઈજા થઈ છે, જેના કારણે તેને દોડવામાં તકલીફ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે પગમાં પટ્ટી બાંધીને ફિઝિયોથી સારવાર લેતો જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સમાં ચિંતા વધી છે.

4 / 6
જોકે, RCB ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી તેની ઈજા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. આવી પરિસ્થિતિમાં, કોહલી આજની મેચમાં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. ટીમ મેનેજમેન્ટ મેચ પહેલા અંતિમ નિર્ણય લઈ શકે છે.

જોકે, RCB ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી તેની ઈજા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. આવી પરિસ્થિતિમાં, કોહલી આજની મેચમાં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. ટીમ મેનેજમેન્ટ મેચ પહેલા અંતિમ નિર્ણય લઈ શકે છે.

5 / 6
વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે જાણીતો છે અને કોઈ પણ ઈજામાંથી ઝડપથી રિકવર કરવાની ક્ષમતા ધરાવે છે. કોહલી આજની મેચ રમવા માટે ચોક્કસથી પ્રયત્નશીલ છે, છતાં RCB કદાચ કોઈ રિસ્ક નહીં લે, કોહલીનું આખી સિઝનમાં ફીટ રહેવું અને અંત સુધી રમવું RCB માટે જરૂરી છે.

વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે જાણીતો છે અને કોઈ પણ ઈજામાંથી ઝડપથી રિકવર કરવાની ક્ષમતા ધરાવે છે. કોહલી આજની મેચ રમવા માટે ચોક્કસથી પ્રયત્નશીલ છે, છતાં RCB કદાચ કોઈ રિસ્ક નહીં લે, કોહલીનું આખી સિઝનમાં ફીટ રહેવું અને અંત સુધી રમવું RCB માટે જરૂરી છે.

6 / 6
RCB માટે લખનૌ સામેની આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ અત્યાર સુધી ચાર મેચમાંથી ત્રણ જીતી ચૂકી છે. જો કોહલી રમશે, તો ટીમની બેટિંગ વધુ મજબૂત બનશે. હવે નજર રહેશે કે મેચ સમયે તે મેદાનમાં ઉતરે છે કે નહીં. (PC:PTI/X)

RCB માટે લખનૌ સામેની આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ અત્યાર સુધી ચાર મેચમાંથી ત્રણ જીતી ચૂકી છે. જો કોહલી રમશે, તો ટીમની બેટિંગ વધુ મજબૂત બનશે. હવે નજર રહેશે કે મેચ સમયે તે મેદાનમાં ઉતરે છે કે નહીં. (PC:PTI/X)

Follow Us