Breaking News: ઈશાન કિશન સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનશે ? પેટ કમિન્સે લીધો મોટો નિર્ણય

સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026 ના એલિમિનેટરમાં હારી ગયું અને ફરી ટ્રોફી ના જીતી શક્યું. હવે ટીમ આગામી સિઝન માટે તેનો કેપ્ટન બદલવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં પેટ કમિન્સની જગ્યાએ ઈશાન કિશન કેપ્ટન બનશે.

| Updated on: Jun 03, 2026 | 4:29 PM
1 / 7
2026 ઈશાન કિશન માટે ખાસ વર્ષ રહ્યું છે, પહેલા T20 વર્લ્ડ કપ, પછી IPLમાં તેણે સારું પ્રદર્શન કર્યું અને ટીમમાં સ્થાન મજબૂત કર્યું. હવે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે રમશે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ઈશાન કિશનને આગામી વર્ષથી IPL ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવશે.

2026 ઈશાન કિશન માટે ખાસ વર્ષ રહ્યું છે, પહેલા T20 વર્લ્ડ કપ, પછી IPLમાં તેણે સારું પ્રદર્શન કર્યું અને ટીમમાં સ્થાન મજબૂત કર્યું. હવે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે રમશે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ઈશાન કિશનને આગામી વર્ષથી IPL ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવશે.

2 / 7
IPL 2026 માં ઈશાન કિશને કેટલીક મેચો માટે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી હતી. પ્રશ્ન એ છે કે, ઈશાન કિશન ટીમનો ફૂટ ટાઈમ કેપ્ટન કેવી રીતે બનશે? કારણ કે પેટ કમિન્સને કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે. હકીકતમાં, એવા અહેવાલો છે કે પેટ કમિન્સ તેના વર્કલોડને કારણે IPL ની આગામી સિઝનમાં કદાચ નહીં રમે.

IPL 2026 માં ઈશાન કિશને કેટલીક મેચો માટે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી હતી. પ્રશ્ન એ છે કે, ઈશાન કિશન ટીમનો ફૂટ ટાઈમ કેપ્ટન કેવી રીતે બનશે? કારણ કે પેટ કમિન્સને કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે. હકીકતમાં, એવા અહેવાલો છે કે પેટ કમિન્સ તેના વર્કલોડને કારણે IPL ની આગામી સિઝનમાં કદાચ નહીં રમે.

3 / 7
પેટ કમિન્સે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે આવતા વર્ષે એશિઝ શ્રેણી અને ODI વર્લ્ડ કપને પ્રાથમિકતા આપશે, અને આ કારણે તે ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાંથી વિરામ લઈ શકે છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો ઘણીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ધ્યાન આપવા માટે T20 ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાંથી વિરામ લે છે.

પેટ કમિન્સે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે આવતા વર્ષે એશિઝ શ્રેણી અને ODI વર્લ્ડ કપને પ્રાથમિકતા આપશે, અને આ કારણે તે ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાંથી વિરામ લઈ શકે છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો ઘણીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ધ્યાન આપવા માટે T20 ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાંથી વિરામ લે છે.

4 / 7
કમિન્સે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "મારે આવતા વર્ષે કંઈક છોડવું પડશે, પરંતુ તે ચોક્કસપણે ટેસ્ટ અને ODI વર્લ્ડ કપ નહીં હોય. હું તે સમયે જ નિર્ણય લઈશ. પરિસ્થિતિ બદલાઈ શકે છે. મને કેટલીક ઈજાઓ છે, અને હું હમણાં કંઈ નક્કી કરી શકતો નથી. મારી પ્રાથમિકતા હંમેશા ટેસ્ટ મેચ અને ODI વર્લ્ડ કપ રહેશે. જો હું ભારતમાં રમીશ, તો મારે એશિઝ શ્રેણી પહેલા વિરામ લેવો પડશે."

કમિન્સે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "મારે આવતા વર્ષે કંઈક છોડવું પડશે, પરંતુ તે ચોક્કસપણે ટેસ્ટ અને ODI વર્લ્ડ કપ નહીં હોય. હું તે સમયે જ નિર્ણય લઈશ. પરિસ્થિતિ બદલાઈ શકે છે. મને કેટલીક ઈજાઓ છે, અને હું હમણાં કંઈ નક્કી કરી શકતો નથી. મારી પ્રાથમિકતા હંમેશા ટેસ્ટ મેચ અને ODI વર્લ્ડ કપ રહેશે. જો હું ભારતમાં રમીશ, તો મારે એશિઝ શ્રેણી પહેલા વિરામ લેવો પડશે."

5 / 7
જો પેટ કમિન્સ નહીં રમે તો સનરાઈઝર્સ હૈદરાબાદ માટે તે મોટો ફટકો હશે. જોકે, સારા સમાચાર એ છે કે ટીમ પાસે કમિન્સનો રિપ્લેસમેન્ટ તૈયાર છે. ઈશાન કિશને કમિન્સની જગ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદનો ફૂલ ટાઈમ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

જો પેટ કમિન્સ નહીં રમે તો સનરાઈઝર્સ હૈદરાબાદ માટે તે મોટો ફટકો હશે. જોકે, સારા સમાચાર એ છે કે ટીમ પાસે કમિન્સનો રિપ્લેસમેન્ટ તૈયાર છે. ઈશાન કિશને કમિન્સની જગ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદનો ફૂલ ટાઈમ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

6 / 7
IPL 2026 માં કમિન્સનીન ગેરહાજરીમાં શરૂઆતમાં ઈશાને ટીમનું નેતૃત્વ કર્યું હતું અને સારી કપ્તાની કરી હતી. તેણે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે IPL 2026 માં આઠ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પાંચમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ આઠ મેચમાં કિશને 312 રન બનાવ્યા હતા, જેનાથી IPL માં તેના કુલ રન 602 થયા હતા.

IPL 2026 માં કમિન્સનીન ગેરહાજરીમાં શરૂઆતમાં ઈશાને ટીમનું નેતૃત્વ કર્યું હતું અને સારી કપ્તાની કરી હતી. તેણે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે IPL 2026 માં આઠ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પાંચમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ આઠ મેચમાં કિશને 312 રન બનાવ્યા હતા, જેનાથી IPL માં તેના કુલ રન 602 થયા હતા.

7 / 7
IPL 2026 માં પેટ કમિન્સનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. તેણે આઠ મેચમાં ફક્ત આઠ વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 11 રનથી વધુ હતો. રાજસ્થાન રોયલ્સ સામેની એલિમિનેટર મેચમાં કમિન્સે 64 રન આપ્યા હતા, જેના કારણે તેની ટીમ હારી અને IPL માંથી બહાર ફેંકાઈ હતી. હવે એવું લાગે છે કે ઈશાન કિશન આગામી સિઝનથી સનરાઈઝર્સ હૈદરાબાદનો ફૂલ ટાઈમ કેપ્ટન રહેશે. (PC:PTI/X)

IPL 2026 માં પેટ કમિન્સનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. તેણે આઠ મેચમાં ફક્ત આઠ વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 11 રનથી વધુ હતો. રાજસ્થાન રોયલ્સ સામેની એલિમિનેટર મેચમાં કમિન્સે 64 રન આપ્યા હતા, જેના કારણે તેની ટીમ હારી અને IPL માંથી બહાર ફેંકાઈ હતી. હવે એવું લાગે છે કે ઈશાન કિશન આગામી સિઝનથી સનરાઈઝર્સ હૈદરાબાદનો ફૂલ ટાઈમ કેપ્ટન રહેશે. (PC:PTI/X)

Follow Us