
IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.


ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)
Published On - 7:00 pm, Sat, 9 May 26