
મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આજની મેચમાંથી બહાર થયો હતો. વધુમાં તે ઓછામાં ઓછી બે મેચ નહીં રમી શકે તેમ કેપ્ટન પંડ્યાએ જણાવ્યું હતું.

16 એપ્રિલ, ગુરુવારના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં રોહિતની ફિટનેસ ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો હતો. આ જ મેદાન પર RCB સામેની બેટિંગ કરતી વખતે રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. તે છઠ્ઠી ઓવરમાં રીટાયર્ડ હર્ટ થયો હતો.

પંજાબ સામેની મેચમાં રોહિતના રમવા અંગે સસ્પેન્સ હતું. રોહિત પ્રેક્ટિસ કરી રહ્યો હતો, જેનાથી આશા જાગી હતી કે તે આજની મેચમાં રમશે. જોકે, ટોસ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ રોહિત અંગે ખરાબ સમાચાર આપ્યા.

હાર્દિકે કહ્યું કે રોહિત આ મેચમાં નહીં રમે. એટલું જ નહીં, મુંબઈના કેપ્ટને તો એમ પણ કહ્યું કે રોહિત શર્મા ઓછામાં ઓછી બે મેચ ગુમાવશે, અને તેના રમવા અંગેનો નિર્ણય ફિટનેસ ટેસ્ટ પછી જ લેવામાં આવશે.

આનો અર્થ એ છે કે પંજાબ કિંગ્સ પછી રોહિત શર્મા 20 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં પણ નહીં રમી શકે. (PC:PTI/X)