
IPL 2026 પર કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે આ ધોનીની છેલ્લી સિઝન છે અને તે કદાચ ફરી નહીં રમે. તેણે કહ્યું કે એવું લાગે છે કે જો ધોની રમશે તો 18 મે એ તેની છેલ્લી મેચ હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ તે દિવસે ઘરઆંગણે પોતાની છેલ્લી મેચ રમશે.

મોહમ્મદ કૈફે કહ્યું, "મને લાગે છે કે ધોની 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની છેલ્લી મેચ રમશે. મને લાગે છે કે તે શરૂઆતથી જ રમવા માંગતો ન હતો. આપણે જોઈ શકીએ છીએ કે તે પહેલાથી જ ન રમવા માટે મક્કમ હતો."

કૈફે કહ્યું, "ધોની નેટમાં વિકેટકીપિંગ અને બેટિંગ પણ કરે છે. ધોનીની ટીમ મીટિંગમાં હાજરી અને ટીમ સાથે રહેવાની તેમની કદાચ પહેલાથી જ પ્લાનિંગ હતી. મને લાગે છે કે તે હવે રમશે નહીં, તે 18 મેના રોજ રમતો જોવા મળી શકે છે, કારણ કે તે ચેન્નાઈની ઘરઆંગણેની છેલ્લી મેચ હશે."

ચેન્નાઈ સુપર કિંગ્સે ધોની વિના રમવાનું શીખી લીધું છે. સંજુ સેમસન હવે ટીમ માટે વિકેટકીપિંગ કરી રહ્યો છે, અને તે ઝડપી ગતિએ રન બનાવીને મેચ જીતાડી પણ રહ્યો છે. વધુમાં, ટીમે કાર્તિક શર્મા જેવા પ્રતિભાશાળી બેટ્સમેનને પણ ટીમમાં સામેલ છે, જેણે બે મેચ જીતાડી છે.

ધોનીએ IPLમાં 278 મેચ રમી છે, જેમાં તેણે 38.3 ની સરેરાશથી 5,439 રન બનાવ્યા છે. તેણે 24 અડધી સદી ફટકારી છે અને કુલ 264 છગ્ગા ફટકાર્યા છે. (PC: PTI)