Breaking News: સૂર્યકુમાર યાદવના રમવા અંગે મોટા સમાચાર, હાર્દિક પંડ્યાની ફિટનેસ પર આ દિવસે લેવાશે નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો 10 મેના રોજ રાયપુરમાં RCB સામે છે, અને ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાના ફિટ થવાની રાહ જોઈ રહી છે. આ મેચમાં વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવના રમવા અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે.

| Updated on: May 09, 2026 | 4:51 PM
1 / 5
IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. રાયપુરમાં આ મેચ પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. રાયપુરમાં આ મેચ પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

2 / 5
ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે છેલ્લી મેચમાં રમી શક્યો નહીં અને હવે RCB સામેની મેચમાં તેના રમવા અંગે સપ્સેન્સ છે, પરંતુ જલ્દી હાર્દિકના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે.

ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે છેલ્લી મેચમાં રમી શક્યો નહીં અને હવે RCB સામેની મેચમાં તેના રમવા અંગે સપ્સેન્સ છે, પરંતુ જલ્દી હાર્દિકના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે.

3 / 5
અહેવાલ મુજબ, હાર્દિકે મેચના એક દિવસ પહેલા, 9 મે, શનિવારના રોજ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. 10 મેના રોજ બેંગલુરુ સામેની મેચમાં રમી શકે તે માટે હાર્દિકે આ ટેસ્ટ પાસ કરવી પડશે.

અહેવાલ મુજબ, હાર્દિકે મેચના એક દિવસ પહેલા, 9 મે, શનિવારના રોજ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. 10 મેના રોજ બેંગલુરુ સામેની મેચમાં રમી શકે તે માટે હાર્દિકે આ ટેસ્ટ પાસ કરવી પડશે.

4 / 5
હાર્દિકને લઈને પરિસ્થિતિ હજુ અસ્પષ્ટ છે, પરંતુ ટીમના વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર, સૂર્યા રાયપુરમાં મેચ માટે ટીમ સાથે જોડાશે.

હાર્દિકને લઈને પરિસ્થિતિ હજુ અસ્પષ્ટ છે, પરંતુ ટીમના વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર, સૂર્યા રાયપુરમાં મેચ માટે ટીમ સાથે જોડાશે.

5 / 5
સૂર્યાએ છેલ્લી મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેની પુત્રીનો જન્મ બે દિવસ પહેલા જ થયો હતો. જેથી એવું માનવામાં આવતું હતું કે તે આગામી મેચમાં રમી શકશે નહીં, પરંતુ હવે તે આ મેચ માટે ઉપલબ્ધ છે. (PC: PTI)

સૂર્યાએ છેલ્લી મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેની પુત્રીનો જન્મ બે દિવસ પહેલા જ થયો હતો. જેથી એવું માનવામાં આવતું હતું કે તે આગામી મેચમાં રમી શકશે નહીં, પરંતુ હવે તે આ મેચ માટે ઉપલબ્ધ છે. (PC: PTI)

Follow Us