Breaking News: ઈશાન કિશન પહેલી T20માંથી થશે બહાર? કેપ્ટન અય્યરે ઈજા અંગે આપી મોટી અપડેટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I પહેલા ઈશાન કિશનની ઈજાને લઈને ચિંતા વધી હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવા બાદ તેણે શનિવારના સત્રમાં પણ ભાગ લીધો નહોતો. મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શ્રેયસ અય્યરે ઈશાનની ઈજા અંગે સ્પષ્ટતા કરી છે.

| Updated on: Sep 12, 2026 | 8:58 PM
1 / 8
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I પહેલા ઈશાન કિશનની ઈજાને લઈને ચિંતા વધી હતી. જોકે, શ્રેયસ અય્યરે હવે તેની ફિટનેસ અંગે રાહત આપતી અપડેટ આપી છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I પહેલા ઈશાન કિશનની ઈજાને લઈને ચિંતા વધી હતી. જોકે, શ્રેયસ અય્યરે હવે તેની ફિટનેસ અંગે રાહત આપતી અપડેટ આપી છે.

2 / 8
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં અય્યરે કહ્યું કે ઈશાન હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવી રહ્યો છે. તેની ઈજા માત્ર નાનો સ્ટ્રેન હોવાનું તેણે જણાવ્યું.

મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં અય્યરે કહ્યું કે ઈશાન હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવી રહ્યો છે. તેની ઈજા માત્ર નાનો સ્ટ્રેન હોવાનું તેણે જણાવ્યું.

3 / 8
અય્યરના જણાવ્યા મુજબ, સતત રેડ-બોલ ક્રિકેટ રમવાને કારણે ઈશાન થોડો થાકી ગયો હતો. તેથી તેને શનિવારના તાલીમ સત્રમાં આરામ આપવામાં આવ્યો હતો.

અય્યરના જણાવ્યા મુજબ, સતત રેડ-બોલ ક્રિકેટ રમવાને કારણે ઈશાન થોડો થાકી ગયો હતો. તેથી તેને શનિવારના તાલીમ સત્રમાં આરામ આપવામાં આવ્યો હતો.

4 / 8
ઈશાનની ગેરહાજરીને કારણે તેની ઉપલબ્ધતા અંગે સવાલ ઊભા થયા હતા. પરંતુ કેપ્ટનના નિવેદન બાદ તેના રમવાની શક્યતા ઘણી વધી ગઈ છે.

ઈશાનની ગેરહાજરીને કારણે તેની ઉપલબ્ધતા અંગે સવાલ ઊભા થયા હતા. પરંતુ કેપ્ટનના નિવેદન બાદ તેના રમવાની શક્યતા ઘણી વધી ગઈ છે.

5 / 8
11 સપ્ટેમ્બરના નેટ સત્ર દરમિયાન ઈશાન ઝડપી બોલર નવદીપ સૈનીનો સામનો કરી રહ્યો હતો. એક બાઉન્સર પર પુલ શોટ રમતી વખતે તેને પીઠમાં દુખાવો થયો હતો.

11 સપ્ટેમ્બરના નેટ સત્ર દરમિયાન ઈશાન ઝડપી બોલર નવદીપ સૈનીનો સામનો કરી રહ્યો હતો. એક બાઉન્સર પર પુલ શોટ રમતી વખતે તેને પીઠમાં દુખાવો થયો હતો.

6 / 8
શોટ રમ્યા બાદ ઈશાન પીડામાં જોવા મળ્યો હતો અને તેણે તરત જ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ તેને ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો.

શોટ રમ્યા બાદ ઈશાન પીડામાં જોવા મળ્યો હતો અને તેણે તરત જ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ તેને ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો.

7 / 8
આ ઘટનાને કારણે ભારતીય ટીમની પસંદગીનું સમીકરણ પણ રસપ્રદ બન્યું હતું. ઈશાન ફિટ રહે તો વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેની ભૂમિકા મહત્વની બની શકે છે.

આ ઘટનાને કારણે ભારતીય ટીમની પસંદગીનું સમીકરણ પણ રસપ્રદ બન્યું હતું. ઈશાન ફિટ રહે તો વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેની ભૂમિકા મહત્વની બની શકે છે.

8 / 8
હવે શ્રેયસ અય્યરની અપડેટથી ભારતીય ટીમ અને ચાહકોને રાહત મળી છે. ઈશાન કિશન અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20Iમાં રમતો જોવા મળે તેવી પૂરી શક્યતા છે. (PC:PTI/X/BCCI)

હવે શ્રેયસ અય્યરની અપડેટથી ભારતીય ટીમ અને ચાહકોને રાહત મળી છે. ઈશાન કિશન અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20Iમાં રમતો જોવા મળે તેવી પૂરી શક્યતા છે. (PC:PTI/X/BCCI)

Published On - 8:56 pm, Sat, 12 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.