Breaking News: અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે મજબૂત ટીમ મેદાનમાં ઉતારશે BCCI, બુમરાહને મળી શકે આરામ

IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી ટેસ્ટ ક્રિકેટમાં એક્શનમાં જોવા મળશે. અફઘાનિસ્તાન સામે 6 થી 10 જૂન દરમિયાન મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા મજબૂત સ્ક્વોડ ઉતારવાની તૈયારીમાં છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે, જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

| Updated on: May 12, 2026 | 8:40 PM
1 / 5
IPL 2026 બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ટેસ્ટ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. શરૂઆતમાં એવી અટકળો હતી કે IPL પછી સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે, પરંતુ હવે ટીમ મેનેજમેન્ટ મજબૂત ટીમ ઉતારવાના મૂડમાં દેખાઈ રહ્યું છે.

IPL 2026 બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ટેસ્ટ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. શરૂઆતમાં એવી અટકળો હતી કે IPL પછી સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે, પરંતુ હવે ટીમ મેનેજમેન્ટ મજબૂત ટીમ ઉતારવાના મૂડમાં દેખાઈ રહ્યું છે.

2 / 5
ટીમની કમાન શુભમન ગિલ સંભાળશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. ગિલે છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની બેટિંગ અને કેપ્ટનશિપથી પ્રભાવિત કર્યા છે. ઓપનિંગમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની જોડી જોવા મળી શકે છે, જે ભારતીય બેટિંગ લાઈનઅપને મજબૂત શરૂઆત અપાવવાની ક્ષમતા ધરાવે છે.

ટીમની કમાન શુભમન ગિલ સંભાળશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. ગિલે છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની બેટિંગ અને કેપ્ટનશિપથી પ્રભાવિત કર્યા છે. ઓપનિંગમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની જોડી જોવા મળી શકે છે, જે ભારતીય બેટિંગ લાઈનઅપને મજબૂત શરૂઆત અપાવવાની ક્ષમતા ધરાવે છે.

3 / 5
મધ્યક્રમમાં રિષભ પંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે. તેની મજબૂત બેટિંગ અને વિકેટકીપિંગ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બેટિંગ ક્રમમાં મોટા ફેરફારો થવાની શક્યતા ઓછી માનવામાં આવે છે, કારણ કે મેનેજમેન્ટ ટીમમાં બેલેન્સ કોમ્બિનેશન જાળવવા માંગે છે.

મધ્યક્રમમાં રિષભ પંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે. તેની મજબૂત બેટિંગ અને વિકેટકીપિંગ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બેટિંગ ક્રમમાં મોટા ફેરફારો થવાની શક્યતા ઓછી માનવામાં આવે છે, કારણ કે મેનેજમેન્ટ ટીમમાં બેલેન્સ કોમ્બિનેશન જાળવવા માંગે છે.

4 / 5
ટીમ પસંદગીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય નંબર-3 બેટ્સમેનની પસંદગી બની છે. અહેવાલો અનુસાર, સાઈ સુદર્શનને આ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. તેના સ્થાને દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. પડિક્કલે રણજી ટ્રોફી અને ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

ટીમ પસંદગીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય નંબર-3 બેટ્સમેનની પસંદગી બની છે. અહેવાલો અનુસાર, સાઈ સુદર્શનને આ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. તેના સ્થાને દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. પડિક્કલે રણજી ટ્રોફી અને ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

5 / 5
ફાસ્ટ બોલિંગ વિભાગમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આરામ આપવામાં આવે તેવી સંભાવના છે. સાથે જ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. IPL પૂર્ણ થયા બાદ અંતિમ સ્ક્વોડ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. (PC:PTI/X)

ફાસ્ટ બોલિંગ વિભાગમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આરામ આપવામાં આવે તેવી સંભાવના છે. સાથે જ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. IPL પૂર્ણ થયા બાદ અંતિમ સ્ક્વોડ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. (PC:PTI/X)

Follow Us