
હેમસ્ટ્રિંગ ઈજાને કારણે વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે.

જો ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં જોડાય છે, તો તે કોહલીનો રિપ્લેસમેન્ટ બેટ્સમેન જ નહીં પણ ઓપનિંગનો વિકલ્પ પણ પૂરો પાડશે.

હવે પ્રશ્ન એ છે કે, ઈન્ડિયા A ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સ્થાન કોણ લેશે? એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડના સ્થાને ઈન્ડિયા ઋતુરાજ ટીમમાં રજત પાટીદારનો સમાવેશ થશે.

ઋતુરાજ ગાયકવાડે છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે રમી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં નવ વનડે રમી છે, જેમાં 28.50 ની સરેરાશથી 228 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

હવે પ્રશ્ન એ છે કે શું ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકશે? ઋતુરાજ વનડે ટીમમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, પરંતુ અફઘાનિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન અનિશ્ચિત લાગે છે.

વિરાટ કોહલીની જગ્યાએ ઈશાન કિશનની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થવાની શક્યતા વધુ છે. (PC:PTI/X)