
ભારતે મહિલા T20 એશિયા કપ 2026માં શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. ચેમ્પિયન બન્યા બાદ ઈનામી રકમ ન સ્વીકારવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે.

ભારત એશિયા કપ જીત્યા બાદ મળતી ઈનામી રકમ પોતાના માટે રાખતું નથી. તેના બદલે આ રકમ અન્ય ક્રિકેટ બોર્ડને વિકાસ માટે આપવામાં આવે છે.

અગાઉની આવૃત્તિઓમાં ચેમ્પિયન ટીમને મોટી ઈનામી રકમ મળતી રહી છે. જોકે, મહિલા T20 એશિયા કપ 2026 માટે સત્તાવાર ઈનામી રકમ જાહેર કરવામાં આવી નથી.

ભારતીય ટીમે આ વખતે એશિયા કપની ટ્રોફી પણ સ્વીકારી નહોતી. આ નિર્ણય પાછળ ACC પ્રમુખ મોહસિન નકવીની ભૂમિકા મહત્વની હોવાનું માનવામાં આવે છે.

મોહસિન નકવી ACCના વડા ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે. આ કારણે ભારતે તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો. ત્યારબાદ પુરુષ ટીમે પણ એશિયા કપની ટ્રોફી ન સ્વીકારી હતી.

હવે ભારતીય મહિલા ટીમે પણ ટ્રોફી ન લઈને એ જ વિરોધ દર્શાવ્યો છે. જોકે ઈનામી રકમ અંગેનો નિર્ણય ભારતના ક્રિકેટ સંબંધિત અભિગમ સાથે જોડાયેલો છે.

જોકે ફરી એકવાર એશિયા કપ ટ્રોફી ન સ્વીકારી ખેલાડીઓએ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમ અને BCCI નું વલણ સ્પષ્ટ કરી દીધું છે. (PC:PTI/X/BCCI)