
રોહિત-વિરાટ આઉટ થતાં ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો મંડરાય રહ્યો છે. આ ખતરા બાદ ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા પર પણ તલવાર લટકી રહી છે. ભારત માટે WTCની ફાઈનલમાં જવાનો સીધો રસ્તો હતો કે, મેલબોર્ન અને સિડની ટેસ્ટ જીતી લે. પરંતુ હવે મેલબોર્ન ટેસ્ટમાં હારે છે તો, આગળ રમાનાર શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાની જીતના પરિણામો પર તેમને નિર્ભર રહેવું પડશે.

ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલીને સંન્યાસ પર અભિનંદન આપી રહ્યા છે. એટલે કે ચાહકો માને છે કે આ બંને ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે અને ભવિષ્યમાં તેઓ ટેસ્ટ રમતા જોવા નહીં મળે. આ બંને ખેલાડીઓની સંન્યાસને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

રોહિત શર્મા માટે આ સિરીઝ ખૂબ જ ખરાબ રહી છે. અત્યાર સુધી તે 3 મેચની 5 ઇનિંગ્સમાં 6.20ની નબળી એવરેજથી માત્ર 31 રન જ બનાવી શક્યો છે. જેમાં 10 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

વિરાટ કોહલીએ 4 મેચની 7 ઇનિંગ્સમાં 27.83ની એવરેજથી 167 રન બનાવ્યા છે. જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. પરંતુ આ સદી સિવાય તે આખી સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નથી.