BCCI એ ટીમ ઈન્ડિયામાંથી કર્યો બહાર, 24 કલાકમાં જ IPLમાં મળી ગઈ નવી નોકરી

અભિષેક નાયરને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસો પહેલા BCCIએ તેનો કરાર અધવચ્ચે જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક કે BCCIએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું ન હતું, પરંતુ IPLમાં તેની વાપસી સાથે હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે.

| Updated on: Apr 26, 2025 | 8:20 PM
1 / 7
ટીમ ઈન્ડિયાની નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ પ્રખ્યાત કોચ અભિષેક નાયરને નવી નોકરી મળી છે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ પદ પરથી તાજેતરમાં દૂર કરાયેલ અભિષેક નાયર ફરી એકવાર IPLમાં પાછો ફર્યો છે. નાયર તેની જૂની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સમાં પાછો ફર્યો છે.

ટીમ ઈન્ડિયાની નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ પ્રખ્યાત કોચ અભિષેક નાયરને નવી નોકરી મળી છે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ પદ પરથી તાજેતરમાં દૂર કરાયેલ અભિષેક નાયર ફરી એકવાર IPLમાં પાછો ફર્યો છે. નાયર તેની જૂની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સમાં પાછો ફર્યો છે.

2 / 7
કોલકાતાએ શનિવાર 19 એપ્રિલના રોજ આ માહિતી આપી હતી. તાજેતરમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ અભિષેક નાયરને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.

કોલકાતાએ શનિવાર 19 એપ્રિલના રોજ આ માહિતી આપી હતી. તાજેતરમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ અભિષેક નાયરને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.

3 / 7
મુંબઈનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર ગયા સિઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. તે ઘણી સિઝનથી આ ફ્રેન્ચાઈઝીમાં આસિસ્ટન્ટ કોચ તરીકે પણ કામ કરી રહ્યો હતો. હવે એક વર્ષથી પણ ઓછા સમયમાં નાયર ફરીથી KKRમાં પાછો ફર્યો છે.

મુંબઈનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર ગયા સિઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. તે ઘણી સિઝનથી આ ફ્રેન્ચાઈઝીમાં આસિસ્ટન્ટ કોચ તરીકે પણ કામ કરી રહ્યો હતો. હવે એક વર્ષથી પણ ઓછા સમયમાં નાયર ફરીથી KKRમાં પાછો ફર્યો છે.

4 / 7
અભિષેક નાયરની વાપસી એવા સમયે થઈ છે જ્યારે કોલકાતા આ સિઝનમાં સંઘર્ષ કરી રહ્યું છે અને અત્યાર સુધી 7 માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું છે. એવામાં અભિષેકની વાપસી ટીમના ખેલાડીઓને મદદરૂપ સાબિત થશે તેવી અપેક્ષા છે.

અભિષેક નાયરની વાપસી એવા સમયે થઈ છે જ્યારે કોલકાતા આ સિઝનમાં સંઘર્ષ કરી રહ્યું છે અને અત્યાર સુધી 7 માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું છે. એવામાં અભિષેકની વાપસી ટીમના ખેલાડીઓને મદદરૂપ સાબિત થશે તેવી અપેક્ષા છે.

5 / 7
નાયર 2024માં ખિતાબ જીતનાર કોલકાતાના કોચિંગ સ્ટાફનો ભાગ હતો. ત્યારબાદ ટીમ IPL ચેમ્પિયન બન્યા પછી, મેન્ટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યો. તેની સાથે નાયરને પણ ટીમ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યો. પરંતુ 10 મહિનાથી ઓછા સમયમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જાન્યુઆરીમાં BCCI સમીક્ષા બેઠક બાદ નાયર સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

નાયર 2024માં ખિતાબ જીતનાર કોલકાતાના કોચિંગ સ્ટાફનો ભાગ હતો. ત્યારબાદ ટીમ IPL ચેમ્પિયન બન્યા પછી, મેન્ટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યો. તેની સાથે નાયરને પણ ટીમ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ કરવામાં આવ્યો. પરંતુ 10 મહિનાથી ઓછા સમયમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જાન્યુઆરીમાં BCCI સમીક્ષા બેઠક બાદ નાયર સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

6 / 7
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમય દરમિયાન, ટીમના ઘણા આંતરિક સમાચાર પણ મીડિયામાં આવ્યા, જેના કારણે ઘણો હોબાળો થયો. આ સાથે, કોચિંગ સ્ટાફના એક મહત્વપૂર્ણ સભ્ય પણ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમય દરમિયાન, ટીમના ઘણા આંતરિક સમાચાર પણ મીડિયામાં આવ્યા, જેના કારણે ઘણો હોબાળો થયો. આ સાથે, કોચિંગ સ્ટાફના એક મહત્વપૂર્ણ સભ્ય પણ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે.

7 / 7
સમીક્ષા બેઠકમાં આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલ મહિનામાં જ નાયરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાના સમાચાર આવ્યા હતા. જોકે, BCCI કે નાયરે અત્યાર સુધી આ મામલે કંઈપણ પુષ્ટિ આપી ન હતી, પરંતુ હવે KKRમાં પરત ફર્યા પછી બધું સ્પષ્ટ થઈ ગયું છે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

સમીક્ષા બેઠકમાં આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલ મહિનામાં જ નાયરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાના સમાચાર આવ્યા હતા. જોકે, BCCI કે નાયરે અત્યાર સુધી આ મામલે કંઈપણ પુષ્ટિ આપી ન હતી, પરંતુ હવે KKRમાં પરત ફર્યા પછી બધું સ્પષ્ટ થઈ ગયું છે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

Published On - 6:54 pm, Sat, 19 April 25

Follow Us