
ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે અપડેટ એ છે કે તે હજુ સંપૂર્ણપણે ફિટ નથી. તેને સ્વસ્થ થવામાં વધુ એક અઠવાડિયા લાગી શકે છે. આનો અર્થ એ થયો કે તે ફિઝિયો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ NCAમાં વધુ એક અઠવાડિયા રહેશે. સૂર્યાનું જૂનમાં હર્નિયાનું ઓપરેશન થયું હતું.

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહ્યો છે. આ 21 દિવસીય ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. (All Photo Credit : PTI / Getty)