વિરાટ-રોહિતની નિવૃત્તિ બાદ હવે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં આ 15 ખેલાડીઓની થઈ શકે છે પસંદગી

રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ બાદ હવે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં કોણ આ બંને દિગ્ગજોનું સ્થાન લેશે તે એક મોટો સવાલ છે. કપ્તાની કોણ કરશે એ પણ સસ્પેન્સ છે. આ બધા વચ્ચે 15 એવા ખેલાડીઓ છે જેને BCCI ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરી શકે છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

| Updated on: May 12, 2025 | 7:51 PM
4 / 8
શુભમન ગિલ ઉપરાંત, યશસ્વી જયસ્વાલ હંમેશની જેમ ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે જોવા મળી શકે છે. ટીમમાં રોહિત શર્માના સ્થાને પસંદગીકારો પ્રતિભાશાળી બેટ્સમેન સાઈ સુદર્શનને તક આપી શકે છે.

શુભમન ગિલ ઉપરાંત, યશસ્વી જયસ્વાલ હંમેશની જેમ ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે જોવા મળી શકે છે. ટીમમાં રોહિત શર્માના સ્થાને પસંદગીકારો પ્રતિભાશાળી બેટ્સમેન સાઈ સુદર્શનને તક આપી શકે છે.

5 / 8
ટીમના મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ વિરાટ કોહલીની જગ્યાએ ચોથા નંબર પર જોવા મળી શકે છે. ટેસ્ટમાં આ બેટિંગ પોઝિશન પર તેની એવરેજ પણ 54 છે. કેએલ રાહુલને ચોક્કસપણે વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરી શકાય છે. તેના સિવાય રિષભ પંતને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. પંતનું નામ 15 ખેલાડીઓમાં સામેલ થવું નિશ્ચિત લાગે છે, કારણ કે તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવાની ચર્ચા છે.

ટીમના મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ વિરાટ કોહલીની જગ્યાએ ચોથા નંબર પર જોવા મળી શકે છે. ટેસ્ટમાં આ બેટિંગ પોઝિશન પર તેની એવરેજ પણ 54 છે. કેએલ રાહુલને ચોક્કસપણે વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરી શકાય છે. તેના સિવાય રિષભ પંતને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. પંતનું નામ 15 ખેલાડીઓમાં સામેલ થવું નિશ્ચિત લાગે છે, કારણ કે તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવાની ચર્ચા છે.

6 / 8
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટેસ્ટ ટીમમાં 3 સ્પિન ઓલરાઉન્ડર ઉપરાંત, 2 ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરને સ્થાન મળી શકે છે. સ્પિન ઓલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરનું નામ છે. જ્યારે શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે પસંદ કરી શકાય છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટેસ્ટ ટીમમાં 3 સ્પિન ઓલરાઉન્ડર ઉપરાંત, 2 ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરને સ્થાન મળી શકે છે. સ્પિન ઓલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરનું નામ છે. જ્યારે શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે પસંદ કરી શકાય છે.

7 / 8
20 જૂનથી શરૂ થનારા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં 5 ફાસ્ટ બોલરોને સ્થાન મળી શકે છે. ટીમમાં સ્થાન મેળવનારા 5 ઝડપી બોલરોમાં જસપ્રીત બુમરાહ ઉપરાંત, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી થવાની શક્યતા છે.

20 જૂનથી શરૂ થનારા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં 5 ફાસ્ટ બોલરોને સ્થાન મળી શકે છે. ટીમમાં સ્થાન મેળવનારા 5 ઝડપી બોલરોમાં જસપ્રીત બુમરાહ ઉપરાંત, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી થવાની શક્યતા છે.

8 / 8
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત 15 ખેલાડીઓની ટીમ : શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, રિષભ પંત, શાર્દુલ ઠાકુર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા. (All Photo Credit : PTI / GETTY)

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત 15 ખેલાડીઓની ટીમ : શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, રિષભ પંત, શાર્દુલ ઠાકુર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા. (All Photo Credit : PTI / GETTY)