
ભારતીય ટી20 ક્રિકેટના નવા બનેલા કેપ્ટન શ્રેયસ અય્યર માટે આયરલેન્ડનો પ્રવાસ ખરાબ રહ્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પેહલી ટી20 મેચમાં તેને ફિફટી ફટકારી હતી. આ સાથે તેમણે સાબિત કર્યું કે, તે કોઈ થી ઓછો નથી.

ઈંગ્લેન્ડમાં ફિફટી ફટકારી એ કામ કર્યું જે રોહિત શર્મા, વિરાટ કોહલી તેના આખા કરિયરમાં કરી શક્યા નથી. અય્યરે ઈંગ્લેન્ડની ધરતી પર ટી20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકાવનારો પહેલો કેપ્ટન બન્યો છે.

આયરલેન્ડ વિરુદ્ધ 2-0થી હાર બાદ શ્રેયસ અય્યર પર બધાની નજર હતી કારણ કે, તેના બેટમાંથી કોઈ રન આવ્યા ન હતી. આ સાથે તેમણે એક એવા કેપ્ટનને રિપ્લેસ કર્યો છે. જેમણે ભારતને ટી20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવ્યો હતો.

અય્યરે ઈંગ્લેન્ડની સામે પહેલી ટી20 મેચમાં 47 બોલમાં 68 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ હતી.

ફિફટી ફટકારતા જ ઈંગ્લેન્ડની ધરતી પર ટી20 ઈન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકાવનારો પહેલો ભારતીય કેપ્ટન બની ગયો છે. 2018માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ઈગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. 2022માં રોહિત શર્મા કેપ્ટન હતા. બંને ખેલાડી આ ખાસ રેકોર્ડ પોતાને નામ કરી શક્યા નથી.

ડરહમ કાઉન્ટી ચેસ્ટર લે સ્ટ્રીટમાં બુધવાર 1 જુલાઈના રોજ રમાયેલી મેચ વરસાદના કારણે રદ થઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને 189 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઈંગ્લેન્ડને આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઉતરવાનું હતુ. આ પહેલા વરસાદે વિધ્ન કર્યું હતુ (all Photo : PTI,AI)