
હાલમાં સિરીઝ 1-1ના બરાબર પર છે.ત્રીજી મેચ ગાબામાં રમાઈ હતી. બીજી મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. હવે ચોથી ટેસ્ટ મેચ જીતી બંન્ને ટીમ સીરિઝમાં 2-1ની લીડ મેળવવા માંગશે. ચોથી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયની ટીમમાં બદલાવ પણ જોવા મળી શકે છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતનું પલડું ઓસ્ટ્રેલિયા પર ભારી છે. છેલ્લા 10 વર્ષમાં ટેસ્ટમાં આ ગ્રાઉન્ડ ભારત માટે સારું રહ્યું છે.હાલમાં એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે. રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે એ ભારત માટે સારા સમાચાર નથી.

મેલબોર્ન ટેસ્ટમાં ચાહકોની નજર અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. કિંગ કોહલીના બેટમાંથી આ સીરિઝમાં એક સદી પણ આવી ચુકી છે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ જોવા મળ્યો છે.ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં રમાનારી સીરિઝની ચોથી ટેસ્ટમાં જીત મેળવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં જવાની આશા છે.
Published On - 12:44 pm, Mon, 23 December 24