
T20 ઈન્ટરનેશનલમાં ભારતના પ્રથમ કેપ્ટન વીરેન્દ્ર સેહવાગ હતા. જોકે, તે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને તેમાં તે સફળ રહ્યા હતા. આ પછી એમએસ ધોની ટીમના કેપ્ટન બન્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય સુધી ટીમના કેપ્ટન રહ્યા. ધોનીએ 70 T20 મેચમાં કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કર્યું. જેમાંથી 42 મેચમાં જીત મેળવી હતી.

આ દરમિયાન સુરેશ રૈના 3 મેચમાં કેપ્ટન રહ્યા હતા અને ત્રણેય મેચ જીત્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 2 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું અને 1 મેચમાં જીત મેળવી હતી.

ધોની બાદ વિરાટ કોહલી લાંબા સમય સુધી T20 ટીમના કેપ્ટન રહ્યો હતો. તે 48 મેચમાં ટીમની કમાન સંભાળી અને 32 મેચ જીતી હતી. આ દરમિયાન અન્ય કેટલાક ખેલાડીઓને ટીમની કમાન સંભાળવાની તક મળી હતી.

રોહિત શર્માએ કુલ 62 T20 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. જેમાંથી 50 મેચમાં જીત મેળવી હતી.

સૂર્યકુમાર યાદવએ કુલ 50 T20 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું અને 42 મેચમાં જીત અપાવી છે.

હવે આયર્લેન્ડ સામેની મેચ સાથે શ્રેયસ અય્યર ભારતના 15મો T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન બનશે. હવે સૌની નજર તેમના કેપ્ટન તરીકેના પ્રદર્શન પર રહેવાની છે.