અમદાવાદને મળ્યો વધુ એક ઓવરબ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોકાર્પણ, ટ્રાફિક જામની સમસ્યાથી મળશે મુક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવા બનેલ ફોર લેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

| Edited By: | Updated on: Mar 29, 2026 | 12:18 PM
1 / 6
નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સતાધાર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 90 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે.

નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સતાધાર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 90 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે.

2 / 6
સતાધાર ચાર રસ્તા પરનો આ બ્રિજ 936 મીટર લાંબો અને 16.60 મીટર પહોળો છે.

સતાધાર ચાર રસ્તા પરનો આ બ્રિજ 936 મીટર લાંબો અને 16.60 મીટર પહોળો છે.

3 / 6
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં આવેલ સતાધાર ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં આવેલ સતાધાર ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે.

4 / 6
સતાધાર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થતાં વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સતાધાર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થતાં વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

5 / 6
સતાધાર જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઓવરબ્રિજનો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

સતાધાર જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઓવરબ્રિજનો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

6 / 6
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્ય, અમ્યુકોના વહીવટદાર મૂકેશ કુમાર, કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ, અમ્યુકોના ભૂતપૂર્વ પદાધિકારીઓ તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્ય, અમ્યુકોના વહીવટદાર મૂકેશ કુમાર, કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ, અમ્યુકોના ભૂતપૂર્વ પદાધિકારીઓ તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us