
પંજાબ કિંગ્સને ચાલુ સિઝનમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. સોમવારે રમાયેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સે શ્રેયસની ટીમને 3 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે, પંજાબ કિંગ્સે પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવવાની એક મોટી તક ગુમાવી દીધી છે.

પંજાબ માટે, તેની બોલિંગ અને નબળી ફિલ્ડિંગ ચિંતાનો વિષય રહ્યો છે. મેચમાં હાર બાદ, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર ખૂબ ગુસ્સે દેખાયા હતા. મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન, તેણે કહ્યું કે યુઝવેન્દ્ર ચહલને કેમ એક ઓવરની પણ બોલિંગ ન આપવામાં આવી.

IPLની 55મી મેચમાં, દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે 210 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો, જોકે, દિલ્હીની ટીમે એક ઓવર બાકી રહેતાં તેનો સફળતાપૂર્વક પીછો કર્યો. મેચ પછી, જ્યારે કેપ્ટન શ્રેયસને પૂછવામાં આવ્યું કે શું સ્કોરબોર્ડ પર દર્શાવેલા રન પૂરતા હતા.

ચહલને એક પણ ઓવર કેમ ન આપવામાં આવ્યો? મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે ઐય્યરને પૂછવામાં આવ્યું કે શું ચહલને મેચ દરમિયાન ઓવર નાખવાનો વિચાર આવ્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "ચોક્કસ, તે વિચાર મારા મગજમાં આવ્યો હતો. જોકે, બોલ જે રીતે સીમ થઈ રહ્યો હતો અને સીમર્સને પીચ પર મળતી સહાયને જોતાં, મને લાગ્યું કે જો અમે અમારી લાઇન અને લેન્થને યોગ્ય રીતે ચલાવી શકીએ, તો અમનેને વિકેટ લેવાની તક મળી શકે છે. કમનસીબે, ફરી એકવાર, અમે એવું કરી શક્યા નહીં."

પ્રેઝન્ટેશન દરમિયાન, ઐય્યરને પૂછવામાં આવ્યું કે શું તેમણે અંતિમ ક્ષણોમાં યોર્કર ફેંકવાનું વિચાર્યું હતું, અથવા શું યોજના સીધી સ્ટમ્પ પર બોલિંગ કરવાની રહી હતી. ત્યારે ઐય્યરે જવાબ આપ્યો કે, "યોજના હજુ પણ સ્ટમ્પ પર બોલિંગ કરવાની હતી. હું હંમેશા માનું છું કે હાર્ડ લેન્થ અથવા હાર્ડ લેન્થથી ઓછી સૌથી અસરકારક બોલિંગ છે, ખાસ કરીને જ્યારે નવો બેટ્સમેન ક્રીઝ પર આવે છે. તેને ફટકારવી સરળ નથી હોતો. જો તમે સતત તે જ લાઇન અને લેન્થ ફેંકતા રહો છો, તો ઓછામાં ઓછી એક બોલ પર મિસ-હિટ થવાની શક્યતા રહે છે, જેનાથી વિકેટ પડી શકે છે. અમે અમારા આયોજનમાં નિષ્ફળ રહ્યા."
Published On - 2:30 pm, Tue, 12 May 26