શું પ્રોવિડન્ટ ફંડમાંથી તમે પણ ઉપાડો છો પૈસા? તો થઈ જાવ સાવધાન કારણકે 1 લાખ ઉપાડવા પર થાય છે 11 લાખનું નુક્સાન

|

Aug 18, 2021 | 12:13 AM

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવાથી મોટું નુકસાન થાય છે. એક ગણતરી મુજબ જો તમે આ ફંડમાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો આ રીટાયરમેન્ટ ફંડને લગભગ 11 લાખ રૂપિયાનું નુકસાન થાય છે.

શું પ્રોવિડન્ટ ફંડમાંથી તમે પણ ઉપાડો છો પૈસા? તો થઈ જાવ સાવધાન કારણકે 1 લાખ ઉપાડવા પર થાય છે 11 લાખનું નુક્સાન
File Image

Follow us on

ફાઈનાન્સીયલ એક્સપર્ટ નોકરી કરતાં લોકોને હમેશાં સલાહ આપતા હોય છે કે જો જરૂરી કારણ ન હોય તો પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ન ઉપાડવા જોઈએ. જો તમે નિવૃત્તિના થોડા વર્ષો પહેલા આ પૈસા ઉપાડી રહ્યા છો તો સમજી લો કે તમે તમારું પોતાનું નુકસાન કરી રહ્યા છો.

 

આ ભંડોળ તમારા ભવિષ્ય માટે છે અને આ ભંડોળમાંથી 1 રૂપિયા પાછું ખેંચવાથી નિવૃત્તિ ભંડોળ પર 11 ગણો તફાવત આવે છે. જો કે, સરકારે હાલની મહામારીની પરિસ્થીતીને ધ્યાનમા રાખીને પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવાના નિયમોને પણ સરળ બનાવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

એક અંદાજ મુજબ જો તમે ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડ્યા છે તો સમજો કે તમે તમારા 11 લાખ રૂપિયા ગુમાવ્યા છે. એક મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલમાં EPFO​​ના નિવૃત્ત સહાયક કમિશનર એ.કે. શુક્લા કહે છે કે જો તમારી નિવૃત્તિમાં 30 વર્ષ બાકી છે અને તમે PF એકાઉન્ટ(EPF Withdrawal)માંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તમારા નિવૃત્તિ ભંડોળમાંથી 11.55 લાખ રૂપિયા ઘટી જશે.

 

હકીકતમાં જો તમે તમારા આ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા જમા કરેલા જ રાખ્યા હોત તો તમને તેના પર વ્યાજ મળતું હોત અને આ રકમ 11.55 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એક અનુમાન મુજબ જો તમારી નિવૃત્તિમાં 20 વર્ષ બાકી છે અને તમે 50 હજાર રૂપિયા ઉપાડો છો તો તમને 2 લાખ 5 હજાર રૂપિયાનું નુકસાન છે. તેવી જ રીતે 1 લાખ રૂપિયા પર 5 લાખ 11 હજાર રૂપિયા, 2 લાખ રૂપિયા પર 10 લાખ 22 હજાર રૂપિયા, 3 લાખ રૂપિયા પર 15 લાખ 33 હજાર રૂપિયાનું નુકસાન છે.

 

જો તમારી નિવૃત્તિમાં 30 વર્ષ બાકી છે અને તમે 50 હજાર રૂપિયા ઉપાડો છો તો 5 લાખ 27 હજાર રૂપિયાનું નુકસાન થાય છે. તે જ સમયે, 1 લાખ રૂપિયા ઉપાડવા પર 11 લાખ 55 હજાર રૂપિયા, 2 લાખ રૂપિયા પર 23 લાખ 11 હજાર રૂપિયા, 3 લાખ રૂપિયા પર 34 લાખ 67 હજાર રૂપિયાનું નુકસાન થાય છે.

 

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડના નિયમોની વાત કરીએ તો 7 વર્ષની સેવા પછી પોતાના લગ્ન, બાળકોના લગ્ન માટે મહત્તમ 50 ટકા ઉપાડી શકાય છે. જેમાં કર્મચારીનો 50 હિસ્સો ટકા હશે. અભ્યાસ માટે પણ 50 ટકા સુધી ઉપાડી શકાય છે. ઘર બનાવવા અથવા જમીન ખરીદવા માટે 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ આ ફંડમાંથી પૈસા ઉપાડી શકાય છે. આ રકમ માસિક વેતન અને મોંઘવારી ભથ્થાના 24 ગણા સુધી હોઈ શકે છે.

 

હોમ લોનની ચુકવણી માટે કર્મચારી અને એમ્પ્લોયરનો 90% હિસ્સો પાછો ખેંચી શકાય છે. આ માટે 10 વર્ષની નોકરી કરેલી હોવી જરૂરી છે. ઘરના નવીનીકરણ માટે માસિક વેતન 12 ગણા સુધી ઉપાડી શકાય છે. આ માટે ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કરેલી હોવી જરૂરી છે.

 

મેડીકલ ઈમરજન્સીના કિસ્સામાં 6 મહિનાનું મૂળભૂત માસિક વેતન અને મોંઘવારી ભથ્થું ઉપાડી શકાય છે. તે કર્મચારી શેરના હિસ્સામાંથી ઉપાડી શકાય છે. નોકરી ગુમાવવાના કિસ્સામાં, કુલ ભંડોળના 75 ટકા સુધી ઉપાડી શકાય છે. 57 વર્ષ પૂરા થવા પર નોકરી ગુમાવવાના કિસ્સામાં નિવૃત્તિ ભંડોળમાંથી 90% સુધી ઉપાડી શકાય છે.

 

 

આ પણ વાંચો :  Gold Silver Price: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, સોનું રૂ .446 અને ચાંદી રૂ .888 જેટલું ચમક્યું

Next Article