લેટિન અમેરિકાના પેરુમાં એક વિચિત્ર પ્રથા સામે આવી છે. પેરુ (Peru)ની રાજધાની લીમાથી 200 કિલોમીટર દૂર ચિંચા (Chincha Valley) ઘાટીમાં સંશોધનકર્તાઓને આવી કબરો મળી છે, જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કબરમાં માણસની કરોડરજ્જુનાના હાડકાં (Back bones) લાકડામાં રાખવામાં આવ્યા હતા. એ રીતે જે રીતે સીક કબાબ બનાવામાં આવે છે. એટલું જ નહીં માથાનું હાડપિંજર પણ લાકડામાં ફસાયેલું રાખવામાં આવ્યું હતું. એન્ટિક્વિટી જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. સંશોધન અનુસાર, અહીં એક સમય હતો જ્યારે મૃતદેહોના શિરચ્છેદ કરવામાં આવતા હતા.
જર્નલ એન્ટિક્વિટીના રિપોર્ટ અનુસાર, પુરાતત્વવિદોને ચિંચા ઘાટીમાં બનેલી કબરોમાં લટકેલા 192 કરોડરજ્જુના હાડકાં મળ્યા છે. સંશોધકો કહે છે કે જ્યારે યુરોપિયન ડાકુઓ અને શાસકોએ ચિંચા ખીણમાં હુમલો કર્યો ત્યારે અહીંના લોકો ભૂખ અને બીમારીઓ સામે લડતા લડતા માર્યા ગયા હતા. હુમલામાં ડાકુઓ અને શાસકોએ તેમને લૂંટી લીધા. એટલું જ નહીં, કબરમાં પડેલા મૃતકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. કબરમાં પડેલા મૃતદેહમાંથી ઘરેણાં અને કિંમતી સામાન પણ લૂંટી લેવામાં આવ્યો હતો. લૂંટ દરમિયાન તેઓ એટલા હાવી થઈ જતાં કે તે મૃતદેહને ખરાબ રીતે વિકૃત કરી દેતા હતા.
સંશોધકો કહે છે કે, અહીં એક રિવાજ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેને કિંમતી વસ્તુઓ સાથે દફનાવવામાં આવતા હતા. આ જ કારણ હતું કે હુમલા દરમિયાન યુરોપિયનોએ મૃતદેહને પણ છોડ્યો ન હતો. કબરમાંથી મળેલા 192 કરોડરજ્જુના હાડકાની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે તે 1450 થી 1650 વચ્ચેના છે.
હુમલા પછી, ચિંચા ઘાટીના લોકો તેમના પૂર્વજોની કબરોમાં વિકૃત મૃતદેહોને ઠીક કરતા હતા. આ કરવા માટે, તેઓએ તેમના હાડકાં લાકડામાં નાખ્યાં અને છેડે માથાનું હાડપિંજર મૂક્યું, આ કર્યા પછી, તેઓને ફરીથી દફનાવવામાં આવ્યા. સંશોધકોએ સંશોધન દરમિયાન આવી અજીબોગરીબ પ્રથાઓ વિશે માહિતી મેળવી છે.
આ પણ વાંચો: જાણો લતા મંગશેકરના સમયથી આજ સુધીમાં કેટલી બદલાઈ ગઈ છે મ્યૂઝિકલ ટેક્નોલોજીની દુનિયા
આ પણ વાંચો: ગજરાજે જેસીબી મશીન સાથે બાથ ભીડી પછી થયું કંઈક આવું, જુઓ Viral વીડિયો