મચ્છર કરડ્યા પછી ઘણા કલાકો સુધી ત્યાં ખંજવાળ આવે છે, જાણો શું છે તેનું વૈજ્ઞાનિક કારણ

|

Jan 05, 2022 | 9:56 PM

એક રિસર્ચ કહે છે કે મચ્છર કરડવાથી થતી ખંજવાળ પાછળ મચ્છરની લાળમાં હાજર કેમિકલ હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાળ શરીરમાં પ્રવેશવાને કારણે કેટલીક પ્રતિક્રિયાઓ થાય છે, જેના કારણે ખંજવાળ આવે છે.

મચ્છર કરડ્યા પછી ઘણા કલાકો સુધી ત્યાં ખંજવાળ આવે છે, જાણો શું છે તેનું વૈજ્ઞાનિક કારણ
File Image

Follow us on

શરીરના જે ભાગ પર મચ્છર કરડે (Mosquito bites)છે, ત્યાં થોડા સમય પછી ખંજવાળ (Itching) શરૂ થાય છે. આવું થોડા કલાકો સુધી ચાલે છે અને ત્યાં લાલ નિશાન (Red mark) બની જાય છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જાણો આનું કારણ..

આ પ્રશ્નનો જવાબ જાણવા માટે એક વાત સમજવી જરૂરી છે કે કરડવાનું, ચેપ લગાડવાનું અને લોહી ચૂસવાનું કામ માત્ર માદા મચ્છર જ કરે છે. નર મચ્છર લોકોની આસપાસ ગણ ગણતા રહે છે પણ કરડતા નથી. નર મચ્છર ફૂલોના રસથી તેમની ભૂખ સંતોષે છે.

હવે જાણી લો કે મચ્છર કરડ્યા બાદ તે જગ્યાએ શા માટે ખંજવાળ આવે છે? શરીરના જે ભાગમાં મચ્છર કરડે છે તે જગ્યા પર થોડી વાર પછી ખંજવાળ આવવા લાગે છે. આવું થોડા કલાકો સુધી થાય છે અને ત્યાં લાલ નિશાન બની જાય છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. તેનું જોડાણ માનવ રક્ત સાથે છે. જાણો આનું કારણ શું છે?

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ખંજવાળ આવવાનું કારણ આ છે

વિજ્ઞાન કહે છે કે જ્યારે મચ્છર માણસને કરડે છે અને લોહી પીવે છે, ત્યારે તે તેની લાળ માણસના લોહીમાં છોડે છે. મચ્છરની લાળમાં એવા પ્રોટીન અને એન્ટીકોએગ્યુલન્ટ્સ હોય છે. જે શરીરમાં એલર્જી પેદા કરવાનું કામ કરે છે. એલર્જીની અસરો ઘટાડવા માટે રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય છે.

તેથી, જ્યારે પણ મચ્છર શરીરમાં તેમની લાળ છોડે છે, ત્યારે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને ઓળખે છે. રક્ષણ માટે રોગપ્રતિકારક તંત્ર હિસ્ટામાઈન નામનું રસાયણ છોડે છે, જે લાળનું જોખમ ઘટાડે છે. આ કેમિકલથી ખંજવાળ આવે છે. વ્યક્તિ વારંવાર તે જગ્યાએ ખંજવાળે છે, તેથી ત્યાં સોજો આવે છે.

સંશોધકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિને પહેલીવાર મચ્છર કરડે તો તેને તે જગ્યાએ ખંજવાળ ન આવે. તેનું પણ એક કારણ છે. જ્યારે કોઈ વ્યક્તિ સાથે આવું પ્રથમ વખત થાય છે, ત્યારે શરીરમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા વિકસિત થતી નથી, તેથી કોઈ ખંજવાળ આવતી નથી.

એક રિસર્ચ કહે છે કે મચ્છર કરડવાથી થતી ખંજવાળ પાછળ મચ્છરની લાળમાં હાજર કેમિકલ હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાળ શરીરમાં પ્રવેશવાને કારણે કેટલીક પ્રતિક્રિયાઓ થાય છે જેના કારણે ખંજવાળ આવે છે અને થોડા સમય પછી તે ઠીક પણ થઈ જાય છે. .

ખંજવાળ આવે ત્યારે શું કરવું તે જાણો

હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર મચ્છર કરડ્યા પછી ખંજવાળ આવે છે, પરંતુ આવું કરવાથી બચવું જોઈએ નહીં તો તે વિસ્તારની ત્વચાને નુકસાન અથવા ચેપનું જોખમ વધી જાય છે. જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે તે જગ્યાને આલ્કોહોલથી સાફ કરો.

ત્યારબાદ ત્યાં મધ લગાવો. મધમાં એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે તે વિસ્તારને સાજા કરવામાં મદદ કરે છે. તેથી હવેથી જ્યારે પણ તમને મચ્છર કરડે તો તે ભાગને બિલકુલ ખંજવાળશો નહીં. તેનાથી બચવા માટે તમે મચ્છર ભગાડનાર કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ Child Health : બાળકને મચ્છર કરડે તો આ અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો

આ પણ વાંચોઃનવા વર્ષની ઉજવણીમાં ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની જલસા, દર મિનિટે 8 થી 9 હજાર ઓર્ડર પ્લેસ થયા

Next Article