આયુષ્માન ભારત કાર્ડ તમારા નામે અન્ય કોઈને આપવામાં આવ્યું છે! તરત જ આ નંબર પર ફરિયાદ કરો

આયુષ્માન ભારત કાર્ડ યોજનામાં નામ સામેલ થયા બાદ લાભાર્થીને ગોલ્ડન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડની મદદથી, લાભાર્થી યોજના સાથે જોડાયેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ સુધીનો તબીબી લાભ લઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તમારા નામે બનાવેલું આયુષ્માન કાર્ડ કોઈ અન્ય વ્યક્તિ મેળવી શકે છે.

આયુષ્માન ભારત કાર્ડ તમારા નામે અન્ય કોઈને આપવામાં આવ્યું છે! તરત જ આ નંબર પર ફરિયાદ કરો
Aayushman Bharat Yojna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 4:57 PM

ભારત સરકારે આયુષ્માન ભારત યોજના(Ayushman Bharat Yojana) શરૂ કરી છે. આ યોજના મફત સારવાર(Free treatment)ની સુવિધા પૂરી પાડે છે. આ અંતર્ગત યોજનાનો લાભ લેનારા લોકોને એક કાર્ડ મળે છે જેને આયુષ્માન ભારત કાર્ડ કહેવામાં આવે છે. આ કાર્ડની મદદથી તમે આયુષ્માન યોજના સાથે સંકળાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલો(Government and private hospitals)માં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો. જો કે આ કાર્ડ અન્ય કોઇ વ્યક્તિને મળી શકે છે. જેને લઇને સાવચેતી રાખવાની જરુર છે

આયુષ્માન ભારત કાર્ડ એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ આ યોજનાના લાભાર્થી છે. આ કાર્ડ ઓનલાઈન તેમજ ઓફલાઈન બનાવી શકાય છે. દેશની કોઈપણ વ્યક્તિ જન આરોગ્ય યોજના હેઠળ અરજી કર્યા બાદ બનાવેલું આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકે છે. કાર્ડ બનાવ્યા પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો. આ પ્રિન્ટેડ પેપર બતાવીને હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે.

આયુષ્માન ભારત યોજના ગરીબ લોકોને મદદ કરવા અને 5 લાખ સુધીની મફત સારવાર માટે શરૂ કરવામાં આવી છે. તે એક વીમા કવરેજ યોજના છે જેમાં લાભાર્થીને સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી તે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સારવાર માટે હોસ્પિટલનો ખર્ચ ઉઠાવે છે. યોજનામાં નામ સામેલ થયા બાદ લાભાર્થીને ગોલ્ડન કાર્ડ આપવામાં આવે છે.

આ કાર્ડની મદદથી, લાભાર્થી યોજના સાથે જોડાયેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ સુધીની તબીબી લાભ લઈ શકે છે. જો કે એવી પણ શક્યતા છે કે તમારા નામે બનાવેલું આયુષ્માન કાર્ડ કોઈ અન્ય વ્યક્તિ મેળવી શકે છે. આ પ્રકારની છેતરપિંડી ઘણીવાર અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. આયુષ્માન ભારત યોજનામાં પણ આનો અવકાશ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ નંબર પર ફરિયાદ કરો

જો તમને લાગતું હોય કે કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે આયુષ્માન કાર્ડ બનાવ્યું છે અને તે તબીબી લાભ લઈ રહ્યું છે, તો તમારે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. સરકારે આ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ટોલ ફ્રી નંબર 180018004444 પર ફરિયાદ નોંધાવી શકાય છે. ધ્યાનમાં રાખો કે ફરિયાદ નોંધાવવા માટે, તમારી પાસે પ્રમાણિત દસ્તાવેજ જેમ કે વડાપ્રધાનનો પત્ર અથવા યોજનાનું લેમિનેટેડ કાર્ડ હોવું આવશ્યક છે.

જો લાભાર્થી ઈચ્છે તો તે યોજનાને લગતા દસ્તાવેજો સાથે જિલ્લાના મુખ્ય તબીબી અધિકારીની કચેરીમાં જઈ શકે છે. ઓફિસમાં લાભાર્થીએ તેની ફરિયાદ જિલ્લા અમલીકરણ એકમમાં નોંધાવવાની રહેશે. ફરિયાદ નોંધાયા બાદ દસ્તાવેજોના આધારે તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. નિર્ણયનો ઓર્ડર સંબંધિત સરકારને મોકલવામાં આવે છે જ્યાંથી લાભાર્થીને નવા કાર્ડ બનાવવાની પરવાનગી મળે છે.

આયુષ્માન ભારત કાર્ડ આ રીતે ડાઉનલોડ કરવું

સૌ પ્રથમ તમારે આયુષ્માન ભારત યોજનાની વેબસાઇટ https://www.pmjay.gov.in/ પર જવું પડશે. અહીં હોમ પેજ ખુલશે

લોગિન પર ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરીને સાઇન ઇન કરો

એક નવું પેજ ખુલશે જેમાં આધાર નંબર દાખલ કરો અને આગળ વધો. આગળના પેજ પર અંગૂઠાની છાપ ચકાસવાની રહેશે

આગળના પેજ પર, તમને મંજૂર લાભાર્થીનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. આ પછી માન્ય ગોલ્ડન કાર્ડનું લિસ્ટ દેખાશે

આ યાદીમાં તમારું નામ શોધો અને કન્ફર્મ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમને જન સેવા કેન્દ્રની સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે

અહીં તમે CSC વોલેટ જોશો જેમાં તમારો પાસવર્ડ દાખલ કરો. તમારે પિન પણ દાખલ કરવો પડશે. તે પછી તમે ફરીથી હોમ પેજ પર આવશો

હવે ઉમેદવારના નામ પર ડાઉનલોડ કાર્ડનો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થશે. તેની પ્રિન્ટ આઉટ લો

આ પણ વાંચો : Surat : કોરોનાનો ભય ફરી વાલીઓમાં પેંઠો, શહેરમાં કેસ વધવાથી બાળકોને શાળામાં મોકલવાથી ડરી રહ્યા છે વાલી

આ પણ વાંચો : Surat : ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરનાર આઠ જમીન માલિકો સામે સુરત જિલ્લા કલેકટરે કરી લાલ આંખ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">