Surat : ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરનાર આઠ જમીન માલિકો સામે સુરત જિલ્લા કલેકટરે કરી લાલ આંખ

જિલ્લા કલેકટર કચેરીમાં ચાલી રહેલા કોર્ટ કેસો પૈકી આઠ કિસ્સામાં છાશવારે નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં અત્યાર સુધી જમીન માલિકો દ્વારા ખેડૂત ખાતેદાર હોવા સંદર્ભેના યોગ્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી.

Surat : ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરનાર આઠ જમીન માલિકો સામે સુરત જિલ્લા કલેકટરે કરી લાલ આંખ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 3:56 PM

સુરત જિલ્લા કલેકટર(Surat District Collector ) દ્વારા જિલ્લાના પલસાણા (Palsana )અને માંગરોળ (Mangrol )તાલુકામાં અલગ – અલગ બ્લોક નંબરથી નોંધાયેલ ખેતીની જમીન ખરીદનારા આઠ શંકાસ્પદ ખેડુત ખાતેદારો વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલી તપાસ બાદ હવે આગામી 15મી તારીખે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જિલ્લા કલેકટર દ્વારા અગાઉ તમામ શંકાસ્પદ ખેડુત ખાતેદારોને પુરાવાઓ રજુ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં અત્યાર સુધી એક પણ ખાતેદાર દ્વારા યોગ્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી. જેને પગલે હવે જિલ્લા કલેકટર દ્વારા આગામી 15મી ડિસેમ્બરના રોજ રેકોર્ડને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવશે.

જિલ્લા કલેકટર કચેરીમાં ચાલી રહેલા કોર્ટ કેસો પૈકી આઠ કિસ્સામાં છાશવારે નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં અત્યાર સુધી જમીન માલિકો દ્વારા ખેડૂત ખાતેદાર હોવા સંદર્ભેના યોગ્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી. જેને પગલે હવે જિલ્લા કલેકટર દ્વારા આ તમામ જમીન માલિકોને આગામી 15મી ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટેની અંતિમ નોટિસની બજવણી કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ દરમ્યાન જો કોઈ જમીન માલિક દ્વારા યોગ્ય પુરાવા રજુ નહીં કરવામાં આવે તો રેકોર્ડ પર આધારીત પુરાવાઓને આધારે નિર્ણય કરવામાં આવશે. ગુજરાત જમીન મહેસુલ નિયમ 108 (6) અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોજે સાંકી, મોજે પારડીપાતા, મોજે અંત્રોલી અને માંગરોળ તાલુકાના મોજે લીંબાડા ગામે નોંધાયેલ અલગ – અલગ બ્લોક નંબરની ખેતીની જમીનોના વેચાણ દસ્તાવેજની જિલ્લા કલેકટરના વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે દરમ્યાન જમીન માલિકોને નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં એક પણ કિસ્સામાં જમીન માલિકો દ્વારા ખેડુત ખાતેદાર હોવાના પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. જેને પગલે હવે આગામી 15મી ડિસેમ્બરના રોજ આ તમામ જમીન માલિકો વિરૂદ્ધ સરકારી રેકોર્ડ પર નોંધાયેલા પુરાવાઓને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

કરોડોની જમીનોના માલિકો જ લાપતા જિલ્લાના પલસાણા અને માંગરોળ તાલુકામાં કરોડો રૂપિયાની સોનાની લગડી સમાન જમીન ખરીદનારાઓના દસ્તાવેજોની પ્રાથમિક તપાસણી દરમ્યાન ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા આ જમીન માલિકોને ખેડૂત હોવા અંગેના પુરાવાઓ રજુ કરવા માટે યોગ્ય તક આપવામાં આવી હતી. અલબત્ત, નોટિસોની બજવણી કરવા છતાં આઠેક કેસ પૈકી એક પણ ખેડૂત દ્વારા યોગ્ય પુરાવા રજુ કરવામાં આવ્યા ન હતા. જેને પગલે હવે જિલ્લા કલેકટર દ્વારા આ તમામ ખાતેદારોને એક અંતિમ તક આપવામાં આવી છે અને આગામી 15મી ડિસેમ્બરના રોજ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Surat : સ્વચ્છતા માટે એવોર્ડ મેળવનાર સુરત શહેરની આ સોસાયટીના લોકોએ કેમ ફેંક્યો જાહેરમાં કચરો ?

આ પણ વાંચો : Surat : નાણામંત્રી નિર્મલા સિતારમને ટેક્સ્ટાઇલના સ્ટેક હોલ્ડરને દિલ્હી તેડાવ્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">