AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજઘાટ પર ગંગાજળ છાંટીશું, કેજરીવાલે સમાધિને કરી અપવિત્ર: ભાજપ

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પાર્ટી તેમને દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિમાં ભ્રષ્ટાચાર અંગે સીધા અને સ્પષ્ટ પ્રશ્નો પૂછે છે, પરંતુ તેઓ મુદ્દાને ભટકાવવા માટે નાટક કરી રહ્યા છે.

રાજઘાટ પર ગંગાજળ છાંટીશું, કેજરીવાલે સમાધિને કરી અપવિત્ર: ભાજપ
Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 4:04 PM
Share

ભાજપે (BJP) આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્યોને તોડવા અને પક્ષ બદલવા માટે નાણાંની ઓફર કરવાના આરોપોને ફગાવ્યા છે. ભાજપે કહ્યું કે તે એક્સાઈઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દાને વાળવા માટે નવા નવા રસ્તા અપનાવી રહી છે. ભાજપે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિની મુલાકાત લેવા અને ત્યાં પ્રાર્થના કરવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને AAPના ધારાસભ્યોને પણ નિશાન બનાવ્યા અને કહ્યું કે તેના કાર્યકરો રાજઘાટ જશે અને ત્યાં ગંગાજળ છાંટશે.

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પાર્ટી તેમને દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિમાં ભ્રષ્ટાચાર અંગે સીધા અને સ્પષ્ટ પ્રશ્નો પૂછે છે, પરંતુ તેઓ મુદ્દાને ભટકાવવા માટે નાટક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ જવાબ આપવાની સ્થિતિમાં નથી. શા માટે તેઓ સતત નવા ડ્રામા બનાવી રહ્યા છે. તે દરરોજ નવું રૂપ બદલીને વિષયને વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. સત્યના સૌથી મોટા પ્રતીકની સમાધિ (રાજઘાટ) પર જઈને સત્યને ઢાંકવાનો પ્રયત્ન કરશો તો તે શક્ય નથી. તમારા ચારિત્ર્યનો પર્દાફાશ થઈ રહ્યો છે.

આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી

AAPએ આજે ​​પોતાના ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. બેઠક શરૂ થયા પછી પાર્ટીએ દાવો કર્યો કે તેના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. પાર્ટીએ પાછળથી આરોપ લગાવ્યો કે તેના દિલ્હીના 40 ધારાસભ્યને ભાજપ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમને પક્ષ બદલવા માટે પ્રત્યેકને 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. બાદમાં AAPના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે કેજરીવાલ સહિત 53 ધારાસભ્યએ મુખ્યમંત્રી અને પક્ષના વડા અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને બોલાવેલી બેઠકમાં હાજરી આપી હતી. જ્યારે સાત ધારાસભ્યો દિલ્હીની બહાર છે, જ્યારે મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં છે.

રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિએ પહોંચ્યા હતા AAPના ધારાસભ્ય

બેઠક બાદ કેજરીવાલની આગેવાની હેઠળ AAP ધારાસભ્યો ભાજપના ‘ઓપરેશન કમલ’ની નિષ્ફળતા માટે પ્રાર્થના કરવા રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચ્યા અને ત્યાં પ્રાર્થના કરી. દિલ્હીના ભાજપ સાંસદ પરવેશ વર્માએ દાવો કર્યો હતો કે AAP દ્વારા એક્સાઈઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને વાળવા માટે નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “કેજરીવાલે રાજઘાટને ગંદો કરી દીધો છે. અમારા કાર્યકરો જશે અને ગંગાજળથી તેને સાફ કરશે.

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">