AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: શું કેન્દ્રના વટહુકમ સામે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે? AAP સાંસદ સંજય સિંહે કહી આ વાત

રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. સંજય સિંહે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની જનતા દ્વારા ત્રણ વખત ચૂંટાયેલા લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલથી એટલા ડરે છે કે તેઓ તેમને કામ કરવા દેતા નથી.

Delhi: શું કેન્દ્રના વટહુકમ સામે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે? AAP સાંસદ સંજય સિંહે કહી આ વાત
Sanjay Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 2:21 PM
Share

આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. સંજય સિંહે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની જનતા દ્વારા ત્રણ વખત ચૂંટાયેલા લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલથી એટલા ડરે છે કે તેઓ તેમને કામ કરવા દેતા નથી. CM અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવી રહેલી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક, પેન્શન, ફ્રી વીજળી જેવી સુવિધાઓ તેમને બંધ કરવી છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે દિલ્હીની જનતાએ તેમને 90% સીટો આપી છે.

આ સુપ્રીમ કોર્ટ અને બંધારણની વિરુદ્ધ છે

તેમણે કહ્યું કે 8 વર્ષની લાંબી લડાઈ બાદ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો કે સેવાઓ અંગે નિર્ણય દિલ્હીની ચૂંટાયેલી સરકાર લેશે. જે બાદ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માટે વટહુકમ લાવી છે. આ સુપ્રીમ કોર્ટ અને બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આ અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીનો પ્રશ્ન નથી. આ કટોકટીની સ્થિતિ છે, તમે જે ઇચ્છો તે કરી રહ્યા છો.

વડાપ્રધાનને ભારતના બંધારણ અને લોકશાહીમાં રસ નથી

સંજય સિંહે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે તે સમયે સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનની ભૂમિકાને પિતાની ગણાવી હતી, પરંતુ જો કોઈ પિતા પોતાના બાળકને બરબાદ કરવા પર હોય તો શું કહી શકાય. સંજય સિંહે કહ્યું કે વડાપ્રધાનને ભારતના બંધારણ અને લોકશાહીમાં રસ નથી.

આ પણ વાંચો : Delhi: બંધારણીય સિદ્ધાંતોને બાજુ પર રાખવામાં આવ્યા, વટહુકમ પર AAPનું નિવેદન- કેન્દ્ર અને PM મોદી આ સહન ન કરી શક્યા

તેમણે કહ્યું કે આજે જે વટહુકમ આવ્યો છે તે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટમાં જશે, પરંતુ તેઓ કહે છે કે બે અધિકારીઓ મુખ્યમંત્રીથી ઉપર છે. એલજી દિલ્હીના 2 કરોડ લોકોથી ઉપર છે, તો પછી ચૂંટણી કેમ કરાવી? કોઈપણ વટહુકમ બંધારણના દાયરામાં હોઈ શકે છે, તમે બંધારણની બહાર જઈને વટહુકમ કેવી રીતે લાવી શકો?

તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની સંવેદનશીલતા જુઓ કે મહિલાઓને જોઈને બસ રોકાઈ ન હતી, તેથી તેમણે કાર્યવાહી કરી. તેમની પાસેથી આ જોવા મળતું નથી, તેઓ ઈચ્છે છે કે મહિલાઓ પરેશાન રહે, વડીલોને તીર્થયાત્રા ન મળે, ગરીબોના બાળકોને સારું શિક્ષણ ન મળે. તેમણે કહ્યું કે આ કેવા સંકુચિત માનસના લોકો છે જેઓ બંધારણને ઉથલાવી દેશની સર્વોચ્ચ અદાલતને ખતમ કરવામાં લાગેલા છે. અહીં સવાલ માત્ર અરવિંદ કેજરીવાલનો નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">