શા માટે આપણે કોર્ટમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ નથી કરતા? કાયદા મંત્રીએ ભારતીય ભાષા પર કહી મોટી વાત
કાયદા મંત્રી રિજિજુએ ભારતીય ભાષાઓ વિશે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે આપણે સંસ્થાનવાદી યુગનો અંત લાવવો પડશે. તેમણે કોર્ટમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ વધારવાનો આગ્રહ કર્યો.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ સ્થાનિક ભાષાનો ઉપયોગ વધારવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે કોર્ટમાં અમારી પોતાની ભાષાનો ઉપયોગ કેમ ન કરી શકીએ. હિન્દી ભાષા અંગે તેમણે કહ્યું કે પાંચ અદાલતોમાં હિન્દી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો મહારાષ્ટ્રમાં મરાઠીનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ ? કાયદા મંત્રી બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ભારતીય ભાષાઓ વિશે રિજ્જૂએ કરી મોટી વાત
કાયદા મંત્રી રિજિજુએ ભારતીય ભાષાઓ વિશે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે આપણે સંસ્થાનવાદી યુગનો અંત લાવવો પડશે. તેમણે કોર્ટમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ વધારવાનો આગ્રહ કર્યો.
કાયદા મંત્રીએ કોર્ટ અને કેન્દ્ર વચ્ચેના કથિત તણાવ પર પણ વાત કરી હતી. તેમણે સરકાર પર કોર્ટમાં દબાણ લાવવાના કથિત આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે દરેક સંસ્થાએ બંધારણ દ્વારા નિર્ધારિત ‘લક્ષ્મણ રેખા’નું સન્માન કરવું જોઈએ. કાયદા મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડવા માટે કંઈ કર્યું નથી. ન્યાયતંત્રને મજબૂત કરવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે. આ જ કારણ છે કે મહામારી દરમિયાન પણ કોર્ટે કામ કરવાનું બંધ ન કર્યું.
સરકાર ન્યાયતંત્રને મજબૂત કરી રહી છે
કાયદા મંત્રીએ કહ્યું કે મોદી સરકાર “રાષ્ટ્રવાદી રાજ” છે અને માત્ર એટલું જ ઇચ્છે છે કે લોકો તેમના મૂળને ભૂલી ન જાય. કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશના સાંસદ છે. તેમણે કહ્યું કે આ ગેરસમજ છે કે સરકાર ન્યાયતંત્ર પર કોઈપણ પ્રકારનું દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા ઉપરાંત તેને મજબૂત કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ.
નવી ભાષા શીખવી પણ પોતાની ભાષામાં વિચારવું
કાયદા પ્રધાન કિરેન રિજિજુએ પણ કહ્યું કે વધુ નવી ભાષાઓ શીખવી અથવા અંગ્રેજીમાં બોલવું સારું છે પરંતુ લોકોએ તેમની પોતાની ભારતીય ભાષામાં વિચારવાની જરૂર છે. ભારતીય અદાલતોએ સ્થાનિક ભાષાનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રિજિજુને બોમ્બે હાઈકોર્ટનું નામ બદલીને મુંબઈ હાઈકોર્ટ કરવાના પ્રસ્તાવ પર ધ્યાન આપવા વિનંતી કરી હતી.