
વિશ્વમાં છેલ્લા કેટલાક દાયકાઓથી એવી બિમારીઓ સામે આવી રહી છે, જેના વિશે લોકો કંઈ જાણતા નથી. જે લોકો માટે તદ્દન નવી હોય છે. 2019 પહેલા કોઈએ કોરોના વાયરસનું નામ પણ સાંભળ્યું ન હતું. પરંતુ અચાનક દેખાતા આ વાયરસે એક જ ઝાટકે આખી દુનિયાને સંક્રમિત કરી દીધી. ભારત પણ આનાથી બાકાત નહોતું રહ્યું અને ભારતમાં પણ આ વાયરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાંથી મળી આવ્યો હતો. જો આપણે અન્ય વાયરસ વિશે વાત કરીએ તો ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ પણ કેરળમાંથી નોંધાયો હતો. તો મંકીપોક્સનો પ્રથમ કેસ પણ કેરળમાં જ નોંધાયો હતો. ત્યારે આ બધાની વચ્ચે વધુ એક બિમારીએ કેરળમાં દસ્તક દીધી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કોઈ પણ નવી બિમારીનો પ્રથમ કેસ મોટાભાગે કેમ કેરળમાં જ સામે આવે છે, આની પાછળનું કારણ શું હોઈ શકે ? કેરળમાં ફરીવાર વાયરલ ફીવરે એન્ટ્રી કરી છે. જેનું નામ છે વેસ્ટ નાઈલ ફીવર. આ ફીવરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં...