AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બે બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને કોરોના થવાનું જોખમ વધુ, CSIR ના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

CSIR એ એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે AB અને B બ્લડ ગ્રૂપ વાળા લોકોને બીજા બ્લડ ગ્રૂપ ધરાવતાં લોકોના પ્રમાણ કરતા કોરોના સંક્રમણનું જોખમ વધારે છે.

આ બે બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને કોરોના થવાનું જોખમ વધુ, CSIR ના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
File Image (PTI)
| Updated on: May 11, 2021 | 11:19 AM
Share

કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) એ એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે AB અને B બ્લડ ગ્રૂપ વાળા લોકોને બીજા બ્લડ ગ્રૂપ ધરાવતાં લોકોના પ્રમાણ કરતા કોરોના સંક્રમણ થવાનું જોખમ વધારે છે. તે જ સમયે તેમણે કહ્યું છે કે O બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનામાં ચેપ લાગવાની સંભાવના સૌથી ઓછી છે. તે જ સમયે તેમને જો કોરોના થઇ જાય તો તેના લક્ષણ ખૂબ સામાન્ય હોય છે.

CSIR ના અહેવાલ મુજબ જે લોકો નોન-વેજ ખાય છે તેમને શાકાહારી લોકોના પ્રમાણમાં કોરોના સંક્રમણ થવાની સંભાવના વધુ છે. આ સર્વે દેશભરના 10 હજારથી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાંથી 140 ડોકટરોના જૂથે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. સર્વે અનુસાર AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું સૌથી વધુ જોખમ હોય છે, ત્યારબાદ B બ્લડ ગ્રુપવાળા લોકો આવે છે.

ખાનગી સંસ્થા સાથે વાત કરતા ડો.અશોક શર્માએ કહ્યું કે બધું વ્યક્તિની આનુવંશિક બંધારણ પર આધારીત છે. તેમણે કહ્યું કે, એ બની શકે કે O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોની રોગપ્રતિકારક શક્તિ AB અને B બ્લડ ગ્રુપના લોકો કરતા વધુ સારી હોય છે, જો કે આનો અર્થ એ નથી કે તેઓને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી શકે, O બ્લડ ગ્રુપમાં રોગપ્રતિકારક શક્તિ કોરોનામાંથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેમને પણ કોરોના થવાની સંભાવના છે.

બીજી તરફ એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના કેસમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. જો આપણે કોરોના વાયરસની શરૂઆતથી સંપૂર્ણ 2-વર્ષનો ગ્રાફ જોઈએ તો એપ્રિલ મહિનામાં દરરોજ નવા કેસોની સંખ્યા 80,000 થી વધીને ચાર લાખ થઈ છે, જે પાંચ ગણા વધારે છે. જો કે આ સમય દરમિયાન દર 24 કલાકમાં થતા મૃત્યુની સંખ્યા લગભગ 10 ગણી વધી છે. પ્રથમ 24 કલાકમાં 400 દર્દીઓનાં મોતની સંખ્યા નોંધાઈ રહી હતી, જ્યારે એપ્રિલ મહિનામાં, એક દિવસમાં 4,000 દર્દીઓનાં કેસ નોંધાયા છે.

કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લાં 40 દિવસમાં આ રાજ્યોમાં મોટી સંખ્યામાં મોત નીપજ્યાં છે. હવે નિયમિત રૂપે કર્ણાટકમાં 400 થી વધુ લોકોનાં મોત નોંધાય છે, જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક 300૦૦ ની આસપાસ છે. આ રાજ્યો સિવાય ઘણા એવા રાજ્યો છે જ્યાં એક દિવસમાં 100 થી વધુ મોત થઈ રહ્યા છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, હરિયાણા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: એક ભૂલ પડી ગઈ ભારે, સોશિયલ મીડિયામાં ઉઠી મુનમુન દત્તાની ધરપકડની માંગ, જાણો મામલો

આ પણ વાંચો: કેટલી માઇલેજ આપે છે ભારતીય રેલનું ડીઝલ એન્જિન? કેમ હંમેશા ચાલુ રાખવું પડે છે એન્જિન?

g clip-path="url(#clip0_868_265)">