કેટલી માઇલેજ આપે છે ભારતીય રેલનું ડીઝલ એન્જિન? કેમ હંમેશા ચાલુ રાખવું પડે છે એન્જિન?

ભારતીય રેલને જોઇને હમેશા પ્રશ્ન થતો હોય છે કે કેમ ટ્રેન બંધ નથી કરતા અને આ એન્જિન એક લિટર ડીઝલમાં કેટલા કિલોમીટર ચાલતી હશે? ચાલો તમને જણાવીએ આજે.

કેટલી માઇલેજ આપે છે ભારતીય રેલનું ડીઝલ એન્જિન? કેમ હંમેશા ચાલુ રાખવું પડે છે એન્જિન?
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 10, 2021 | 6:41 PM

તેમાં કોઈ શંકા નથી કે ભારતીય રેલ્વે એ દેશની જીવનરેખા છે. ભારતીય રેલ્વે પર દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલ્વેમાં સમાવિષ્ટ હાલની ટ્રેનો ઇલેક્ટ્રિક, ડીઝલ અને સ્ટીમ એન્જિન પર ચાલે છે. તમને જણાવી દઈએ કે હવે સ્ટીમ એન્જીન ટ્રેનો ફક્ત વિશેષ પ્રસંગોએ જ ચલાવવામાં આવે છે. ડીઝલ એન્જિનને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રશ્નોમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે કે ડીઝલ એન્જિન માઇલેજ કેટલી હશે. મોટાભાગના લોકો આ પ્રશ્નના જવાબ મેળવવા માટે ઉત્સુક છે કે ભારતીય રેલ્વેમાં શામેલ ડીઝલ એન્જિન કેટલું માઇલેજ આપે છે?

ડીઝલ એન્જિન્સ એક્સપ્રેસ ટ્રેનો સાથે વધુ માઇલેજ આપે છે

ડીઝલ એન્જિન માઇલેજ ઘણી વસ્તુઓ પર આધારિત છે. જો આપણે ડીઝલ એન્જિનથી ચાલતી 12 કોચની પેસેન્જર ટ્રેનની વાત કરીએ, તો તે 6 લિટરમાં એક કિલોમીટરનું માઇલેજ આપે છે. બીજી તરફ 24 કોચની ડીઝલ એન્જિન એક્સપ્રેસ ટ્રેન પણ પ્રતિ કિલોમીટર 6 લિટરનું માઇલેજ આપે છે. આ સિવાય જો કોઈ એક્સપ્રેસ ટ્રેન 12 કોચ સાથે પ્રવાસ કરે છે તો તેની માઇલેજ પ્રતિ કિલોમીટર 4.50 લિટર થઈ જાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન વચ્ચે માઇલેજ તફાવત આવે છે કારણ કે પેસેન્જર ટ્રેન બધા સ્ટેશનો પર અટકીને જાય છે. આવી સ્થિતિમાં પેસેન્જર ટ્રેનમાં એક્સપ્રેસ ટ્રેન કરતાં વધુ બ્રેક અને એક્સિલરેટરનો ઉપયોગ કરવો પડે છે. બ્રેક અને એક્સિલરેટરના વધુ પડતા ઉપયોગને લીધે તેની માઇલેજ ઓછી થાય છે. જ્યારે એક્સપ્રેસ ટ્રેનમાં સ્ટોપ ઓછા હોય છે અને તેમને બ્રેક અને એક્સિલરેટરનો ઉપયોગ પણ ઓછો કરવો પડે છે.

માલગાડી સાથે માઇલેજ વધુ ઘટે છે

પેસેન્જર ટ્રેનોની તુલનામાં માલગાડી ટ્રેનની માઇલેજ વધુ ઘટે છે. આનું મુખ્ય કારણ માલગાડીનું ભારણ છે. તેમાં મુસાફરીની ટ્રેનો કરતા અનેકગણું વજન હોય છે, જે એન્જિન પર ખૂબ દબાણ લાવે છે અને ડીઝલ વધારે લે છે. દેશના પર્વતીય વિસ્તારોમાં માલગાડી ટ્રેન ખેંચવા માટે બે અને વધુ એન્જિનની મદદ લેવામાં આવે છે.

ડીઝલ એન્જિન બંધ કેમ નથી કરતા

સામાન્ય રીતે જોવા મળે છે કે ડીઝલ એન્જિનોને એક જ જગ્યાએ કલાકો સુધી ઉભા રહેવું પડે છે. તેમ છતાં તેઓ એન્જિન બંધ કરતા નથી. મોટાભાગના લોકોને લાગે છે કે ડીઝલ એન્જિન શરૂ કરવા માટે ખૂબ ડીઝલનો ખર્ચ કરવો પડે છે, તેથી તેને બંધ કરવાને બદલે ચાલુ રાખવામાં આવે છે. પરંતુ તે એવું નથી.

ડીઝલ એન્જિન ચાલુ રાખવાની પાછળ બે સૌથી મોટા કારણો છે. પ્રથમ કારણ એ છે કે ડીઝલ એન્જિન બંધ કર્યા પછી, બ્રેક પાઇપનું દબાણ નોંધપાત્ર રીતે ઘટે છે, જે સમાન ક્ષમતામાં પાછા આવવા માટે ખૂબ લાંબો સમય લે છે. આ સિવાય બીજું કારણ એ છે કે ડીઝલ એન્જિન શરૂ કરવામાં સામાન્ય રીતે 20-25 મિનિટ લાગે છે. તેથી, ડીઝલ એન્જિનને બંધ કરવાને બદલે ચાલુ રાખવું તે યોગ્ય માનવામાં આવે છે.

આ પણ વાંચો: Corona ના રિપોર્ટમાં આવતી CT Value શું છે? કેટલી Value એ કેસ ગંભીર માનવામાં આવે છે?

આ પણ વાંચો: જો આ રીતે વાવો છો ઘરમાં મની પ્લાન્ટ તો થઇ જશો પાયમાલ, જાણો વાસ્તુશાસ્ત્ર

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">