સૂર્યના સાક્ષાત્કાર માટે આજે રવાના થશે આદિત્ય L-1, જાણો કેમ આ નામ અપાયુ અને શું છે તેનો અર્થ?
ચંદ્રયાન 3 મિશનની સફળતા બાદ હવે ભારતનું આગામી મિશન સોલાર મિશન છે. તમે બધાએ આદિત્ય L1 નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો તેનો અર્થ શું છે, જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે આદિત્ય L1 નામ કેવી રીતે પડ્યું?ભારતે હજુ સુધી સૂર્યના રહસ્યો જાણવા માટે કોઈ અવકાશ મિશન લોન્ચ કર્યું નથી, પરંતુ આદિત્ય એલ1 પ્રથમ વખત સૌર મિશન માટે રવાના થવાનું છે અને આ ક્ષણને ઐતિહાસિક માનવામાં આવે છે.

Sun Mission : ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે અને હવે ભારતના પ્રથમ સૌર મિશનનો વારો છે ત્યારે હવે તેનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કારણ કે આજે આદિત્ય L1 સૌર મિશન માટે રવાના થશે. પરંતુ સૌર મિશન શરૂ કરતા પહેલા, કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે તમારે પહેલાથી જ જાણવી જોઈએ જેમ કે તમે આદિત્ય L1 નું નામ સાંભળ્યું છે પરંતુ શું તમે ખબર છે તેનો અર્થ શું થાય?
જો તમારો જવાબ ના હોય તો આજે અમે તમને જણાવીશું કે આદિત્ય L-1 નો અર્થ શું છે? તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈસરોના સોલર મિશન આદિત્યનું નામ સૂર્યના કોરના નામ પર આધારિત છે.
સૂર્યના કોરનું તાપમાન કેટલું છે?
શું તમે જાણો છો કે સૂર્યના કોરનું તાપમાન શું છે? જો નહીં, તો ચાલો તમને આ વિશે માહિતી આપીએ. સૂર્યના કોરનું તાપમાન 27 મિલિયન ડિગ્રી ફેરનહીટ છે, બીજી તરફ, સૂર્યનું ફોટોસ્ફિયર કોર કરતા ઠંડુ છે અને તેનું તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ છે.
આદિત્યની પાછળ કેમ લાગ્યુ L1 નામ?
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 150 મિલિયન કિલોમીટર છે અને તે દરમિયાન ત્યાં 5 લેગ્રેન્જ બિંદુઓ છે જે L1, L2, L3, L4 અને L5 બિંદુઓ તરીકે પણ ઓળખાય છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ કે L1, L2, L3 તેમની સ્થિતિ બદલતા રહે છે.
તે જ સમયે L4 અને L5 પોઈન્ટ તેમની સ્થિતિ બદલતા નથી. ઈસરોનું પ્રથમ સૌર મિશન સ્ટોપ L1 છે જે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. પ્રથમ સ્ટોપના નામને કારણે, આદિત્યની આગળ L1 ઉમેરવામાં આવ્યું છે.
Lનો અર્થ શું થાય છે ?
કોઈપણ ગ્રહની ભ્રમણકક્ષાની આસપાસ પાંચ સ્થાનો છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળની ક્રિયાપ્રતિક્રિયા અને અવકાશયાનની ભ્રમણકક્ષા એક સ્થિર સ્થાન બનાવે છે જ્યાં ઉપગ્રહ અથવા અવકાશયાન સ્થિર રહીને કાર્ય કરી શકે છે. આવા પાંચ સ્થળોને L1, L2, L3, L4 અને L5 કહેવામાં આવે છે. આને લેગ્રેન્જિયન પોઈન્ટ કહેવામાં આવે છે. ત્યારે લેગ્રેન્જિયન નામ 18મી સદીના ઈટાલિયન વૈજ્ઞાનિક જોસેફ લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. આદિત્ય-L1 ને સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 ની આસપાસ હાલો ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આ સ્થાન પર ઉપગ્રહ મોકલવાનો મોટો ફાયદો એ છે કે ત્યાંથી સૂર્ય સતત જોઈ શકાય છે અને ગ્રહણ વગેરેથી કોઈ અવરોધ નથી. જ્યારે આદિત્ય-L1 L1 પોઈન્ટ પર પહોંચે છે ત્યારે સૌર પ્રવૃત્તિ વધુ સારી રીતે જોઈ શકાય છે
ભારતે હજુ સુધી સૂર્યના રહસ્યો જાણવા માટે કોઈ અવકાશ મિશન લોન્ચ કર્યું નથી, પરંતુ આદિત્ય એલ1 પ્રથમ વખત સૌર મિશન માટે રવાના થવાનું છે અને આ ક્ષણને ઐતિહાસિક માનવામાં આવે છે. આ ક્ષણ પણ ઐતિહાસિક છે કારણ કે આદિત્ય L1 સૂર્યના બાહ્ય પડનો અભ્યાસ કરશે.
આદિત્ય L1 લૉન્ચ ટાઈમ: કયા સમયે લોન્ચ થશે?
આદિત્ય L1 પ્રક્ષેપણ માટે તૈયાર છે, આદિત્ય L1 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે સવારે 11:50 વાગ્યે ભારતના પ્રથમ સૌર મિશન માટે રવાના થશે.