અયોધ્યા વિવાદ: પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી, હવે બચ્યો છે આ એકમાત્ર વિકલ્પ
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી? Web Stories View more આજનું […]
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે જે ચૂકાદો આપ્યો તેના વિરોધમાં કુલ 18 પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ સુનાવણીમાં કોર્ટે આ તમામ અરજીઓેને ફગાવી દીધી છે. કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તો હવે શું થઈ શકે? પુનર્વિચાર અરજી પછી મુસ્લિમ પક્ષ કોઈ અરજી કરી શકે ખરી?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પ્રશ્નનો જવાબ છે હા. કારણ કે સંવિધાનિક પ્રક્રિયામાં પુનર્વિચાર અરજી પછી પણ કોઈપણ પક્ષ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. પુનર્વિચાર બાદ અંતિમ વિકલ્પ છે ક્યૂરેટિવ પિટીશન. જેની સુનાવણી પણ ખંડપીઠ દ્વારા જ કરવામાં આવતી હોય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ક્યૂરેટિવ પીટિશનમાં કેવી રીતે થાય છે સુનાવણી?
જો કે ક્યૂરેટિવ પીટિશન પુનર્વિચાર અરજીથી થોડો અલગ વિકલ્પ માનવામાં આવે છે. આ ક્યૂરેટિવ પીટિશનમાં ચુકાદા કરતાં એ બાબતની ચર્ચા કરવામાં આવે છે ત્યાં પક્ષકારને લાગતું હોય કે ચુક થઈ છે. ક્યુરેટિવ પીટિશન પર પણ બેંચ જ સુનાવણી કરે છે. આ અંતિમ વિકલ્પ ગણાય છે અને તે બાદ કોઈ જ અરજી કરી શકાતી નથી. ક્યૂરેટિવ પીટિશનનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય ગણવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]