AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થીનીઓ પ્રયોગશાળામાં કરતી હતી પ્રેક્ટિકલ ક્લાસ, એમોનિયાથી ભરેલા કન્ટેનરમાં થયો બ્લાસ્ટ; 10 ઘાયલ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બસીરહાટમાં એક શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓ લેબોરેટરીમાં પ્રેક્ટિકલ ક્લાસ કરી રહી હતી. તે જ સમયે, એમોનિયાથી ભરેલા જારમાં બ્લાસ્ટ થયો હતો. શિક્ષક સહિત 10 વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ છે.

વિદ્યાર્થીનીઓ પ્રયોગશાળામાં કરતી હતી પ્રેક્ટિકલ ક્લાસ, એમોનિયાથી ભરેલા કન્ટેનરમાં થયો બ્લાસ્ટ; 10 ઘાયલ
West Bengal Ammonia gas tank explodes in chemistry lab, nine students, teacher fall ill
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 7:12 PM
Share

પશ્ચિમ બંગાળ(West Benga)માં એક શાળાની પ્રયોગશાળામાં એમોનિયાથી ભરેલુ કન્ટેનર ફાટ્યું. જેમાં શિક્ષક સહિત ઓછામાં ઓછી 10 વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના મંગળવારે ઉત્તર 24 પરગણાના બસીરહાટ સબડિવિઝનની ટીકી નગરપાલિકાની ષષ્ટિચરણ નીલમાધવ હાઈ ગર્લ્સ સ્કૂલમાં બની હતી. ઘાયલ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાને પગલે શાળાની લેબોરેટરીમાં વિસ્ફોટ થતાં વિદ્યાર્થીનીઓમાં ગભરાટ ફેલાયો છે.

આ પણ વાંચો :Breaking News: IND vs WI: ત્રીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે અર્નબ ગુહા દાસ નામના શિક્ષકે ધોરણ 12ની કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે મળીને સ્કૂલના ‘લેબોરેટરી’ રૂમનું તાળું તોડી ખોલ્યુ હતું. લેબ ઘણા સમયથી બંધ હતી.

લેબોરેટરી ખુલ્યા બાદ તેમાં વિદ્યાર્થિનીઓ માટે પ્રેક્ટિકલ ક્લાસ ચાલતા હતા. સાયન્સનો પ્રેક્ટિકલ ક્લાસ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થિનીઓ વિવિધ રસાયણો ઉમેરીને કેટલાક પ્રયોગો કરતી હતી અને કેટલીક પ્રેક્ટિકલ પ્રેક્ટિસ ચાલી રહી હતી.

શાળાની પ્રયોગશાળામાં બ્લાસ્ટ

એમોનિયા ભરેલા કન્ટેનરમાં વિસ્ફોટ થયો. જોરદાર અવાજ સાંભળીને શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. પહેલા તો લોકો સમજી જ ન શક્યા કે શું થયું અને અવાજ ક્યાંથી આવ્યો.

પરંતુ જ્યારે અવાજની દિશા વિશે માહિતી મળી ત્યારે જાણવા મળ્યું કે લેબોરેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો લેબોરેટરીમાં દોડી ગયા ત્યારે તેઓએ જોયું કે શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડ્યા હતા

ઈજાગ્રસ્ત શિક્ષક અને બીમાર વિદ્યાર્થીનીઓને લેબોરેટરીમાંથી બહાર કાઢીને તાકી ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત શાળાની છોકરીઓ

શાળાના સુત્રોના જણાવ્યા મુજબ લેબોરેટરી ઘણા સમયથી બંધ હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે એમોનિયા કન્ટેનર કેવી રીતે અને શા માટે વિસ્ફોટ થયો. શાળા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

તે જ સમયે, બંગાળના શિક્ષણ વિભાગે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જિલ્લા ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓએ શાળાના મુખ્ય શિક્ષક પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. શાળાને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાની જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જિલ્લા શાળા અધિકારીએ જણાવ્યું કે સમગ્ર ઘટના અંગે માહિતી પ્રાપ્ત થઈ છે. વિસ્ફોટના કારણો શું છે અને આ ઘટના શા માટે બની છે અને આ ઘટના પાછળ બેદરકારીનો મામલો છે કે કેમ તે અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">