AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમતા બેનર્જીનો દાવો, કેન્દ્ર સરકારે મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતા સીલ કર્યા, હજારો દર્દીઓ બન્યા નિરાધાર

મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રાલયે ક્રિસમસ પર આવો નિર્ણય લીધો છે તે સાંભળીને હું ચોંકી ગઈ છું. તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે.

મમતા બેનર્જીનો દાવો, કેન્દ્ર સરકારે મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતા સીલ કર્યા, હજારો દર્દીઓ બન્યા નિરાધાર
Mamata Banerjee - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:07 PM
Share

મધર ટેરેસાના (Mother Teresa) મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે કેન્દ્રીય મંત્રાલય પર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રાલયે ક્રિસમસ પર આવો નિર્ણય લીધો છે તે સાંભળીને હું ચોંકી ગઈ છું. તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે. જ્યારે કાયદો સર્વોપરી છે, ત્યારે માનવતાવાદી પ્રયાસો સાથે સમાધાન ન થવું જોઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કહેવા પર તમામ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ક્રિસમસ દરમિયાન તમામ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા મિશનરીઝ ઑફ ચેરિટીએ કહ્યું કે અમને બધું જ ખબર છે, અમે હજુ કંઈ કહેવાના નથી.

ગુજરાતમાં મિશનરીઝ ઑફ ચેરિટીના ચિલ્ડ્રન હોમ પર FIR ગુજરાતમાં મિશનરીઝ ઑફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ વિરુદ્ધ ત્યાં રહેતી છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે હિંદુ છોકરીઓને કથિત રીતે ક્રોસ પહેરાવીને અને તેમને પાઠ માટે બાઇબલ આપીને ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે મેનેજમેન્ટે કન્વર્ટ કરવાના પ્રયાસના હેતુથી છોકરીઓને પાઠ કરવા માટે સ્ટોરરૂમના ટેબલ પર બાઈબલ મૂક્યું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર, ધર્મ પરિવર્તન સંબંધિત ગુજરાત સ્વતંત્રતા અધિનિયમની કલમ ત્રણ અને ચાર (કોઈપણ વ્યક્તિને પ્રલોભન અથવા છેતરપિંડી દ્વારા ધર્મ બદલવાનો પ્રયાસ) તેમજ ભારતીય દંડ સંહિતાની કલમો (IPC) કલમ 295 (A) અને 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કથિત ઘટનાઓ આ વર્ષે 10 ફેબ્રુઆરીથી 9 ડિસેમ્બરની વચ્ચે બની હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે દુબઈ જશે, 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુલાકાત રહેશે ખાસ

આ પણ વાંચો : પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">