AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમતા બેનર્જીનો દાવો, કેન્દ્ર સરકારે મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતા સીલ કર્યા, હજારો દર્દીઓ બન્યા નિરાધાર

મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રાલયે ક્રિસમસ પર આવો નિર્ણય લીધો છે તે સાંભળીને હું ચોંકી ગઈ છું. તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે.

મમતા બેનર્જીનો દાવો, કેન્દ્ર સરકારે મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતા સીલ કર્યા, હજારો દર્દીઓ બન્યા નિરાધાર
Mamata Banerjee - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:07 PM
Share

મધર ટેરેસાના (Mother Teresa) મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે કેન્દ્રીય મંત્રાલય પર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રાલયે ક્રિસમસ પર આવો નિર્ણય લીધો છે તે સાંભળીને હું ચોંકી ગઈ છું. તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે. જ્યારે કાયદો સર્વોપરી છે, ત્યારે માનવતાવાદી પ્રયાસો સાથે સમાધાન ન થવું જોઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કહેવા પર તમામ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ક્રિસમસ દરમિયાન તમામ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા મિશનરીઝ ઑફ ચેરિટીએ કહ્યું કે અમને બધું જ ખબર છે, અમે હજુ કંઈ કહેવાના નથી.

ગુજરાતમાં મિશનરીઝ ઑફ ચેરિટીના ચિલ્ડ્રન હોમ પર FIR ગુજરાતમાં મિશનરીઝ ઑફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ વિરુદ્ધ ત્યાં રહેતી છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે હિંદુ છોકરીઓને કથિત રીતે ક્રોસ પહેરાવીને અને તેમને પાઠ માટે બાઇબલ આપીને ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે મેનેજમેન્ટે કન્વર્ટ કરવાના પ્રયાસના હેતુથી છોકરીઓને પાઠ કરવા માટે સ્ટોરરૂમના ટેબલ પર બાઈબલ મૂક્યું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર, ધર્મ પરિવર્તન સંબંધિત ગુજરાત સ્વતંત્રતા અધિનિયમની કલમ ત્રણ અને ચાર (કોઈપણ વ્યક્તિને પ્રલોભન અથવા છેતરપિંડી દ્વારા ધર્મ બદલવાનો પ્રયાસ) તેમજ ભારતીય દંડ સંહિતાની કલમો (IPC) કલમ 295 (A) અને 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કથિત ઘટનાઓ આ વર્ષે 10 ફેબ્રુઆરીથી 9 ડિસેમ્બરની વચ્ચે બની હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે દુબઈ જશે, 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુલાકાત રહેશે ખાસ

આ પણ વાંચો : પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">