
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરા ખાતે ₹35,000 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ના ત્રણ અતિ મહત્વના વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ ત્રણ સેક્શન શરૂ થવાની સાથે જ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું પશ્ચિમી નેટવર્ક પોતાની સંપૂર્ણ લંબાઈ સાથે ઓપરેશનલ થઈ ગયું છે.
પીએમ મોદીએ WDFC ના સાણંદ (ઉત્તર)-મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સેક્શનનું લોકાર્પણ કર્યું છે. આ ત્રણેય સેક્શનની કુલ લંબાઈ 326 રૂટ કિલોમીટર છે અને તેને ₹20,700 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઉત્તર પ્રદેશના દાદરીથી શરૂ થઈને મહારાષ્ટ્રના JNPA પોર્ટ સુધી જાય છે. દાદરી ખાતે આ લાઈન ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (EDFC) સાથે જોડાય છે. લુધિયાણાથી સોનનગર સુધીનો EDFC નો હિસ્સો પણ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ બંને કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી ભારતમાં હવે આશરે 2,843 કિલોમીટર લાંબુ ડેડિકેટેડ ફ્રેઇટ રેલ નેટવર્ક પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થઈ ગયું છે.
#WATCH | Shobhit Bhatnagar (Director, Operations & Business Development, DFCC) says, “The construction of this corridor began in 2006. Now, both Eastern Corridor and Western Corridor are complete. Eastern Corridor is about 1337 km long, from Sahnewal to Sonnangar. Western… https://t.co/O6h4ddTCK1 pic.twitter.com/COONp95jSR
— ANI (@ANI) September 8, 2026
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટને આશરે 20 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી. રેલવેના આંકડા અનુસાર, ઓગસ્ટ મહિના સુધીમાં અગાઉ કાર્યરત થઈ ચૂકેલા DFC સેક્શન પર આશરે 5.2 લાખ માલગાડીની ટ્રીપ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેના પર દૈનિક સરેરાશ 435 માલગાડીઓ દોડી રહી છે. હવે નવું નેટવર્ક ખૂલવાથી આ આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે.