ધર્મના નામે હિંસા : પયગંબર મોહમ્મદની ટિપ્પણીને લઈને ફરી હિંસા ફાટી નીકળી, ઉશ્કેરાયેલા ટોળાએ લોકલ ટ્રેનમાં કરી તોડફોડ

|

Jun 13, 2022 | 7:47 AM

પશ્વિમ બંગાળના (West Bengal) નાદિયા જિલ્લાના બેથુઆદહરી રેલવે સ્ટેશન પર ઉશ્કેરાયેલા ટોળાએ એક લોકલ ટ્રેન પર પથ્થરમારો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા.

ધર્મના નામે હિંસા : પયગંબર મોહમ્મદની ટિપ્પણીને લઈને ફરી હિંસા ફાટી નીકળી, ઉશ્કેરાયેલા ટોળાએ લોકલ ટ્રેનમાં કરી તોડફોડ
West Bengal Violence

Follow us on

પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણીને લઈને દેશભરમાં ચાલી રહેલો હંગામો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પશ્ચિમ બંગાળના(West Bengal)  નાદિયા જિલ્લાના બેથુઆદહરી રેલવે સ્ટેશન પર રવિવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. રેલ્વે સ્ટેશન પર એકઠા થયેલા ટોળાએ એક લોકલ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો,જેને પગલે કેટલાક લોકો ઘાયલ થયા હતા. પૂર્વ રેલવેના (Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી એકલવ્ય ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, અત્યારે કોઈ ટ્રેન નથી ચાલી રહી. અમે રાજ્ય સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ.

પ્રદર્શનકારીઓએ  વિરોધ નોંધાવ્યો

ANIના અહેવાલો અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રસ્તો રોક્યો હતો અને જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો ત્યારે તેમાંથી કેટલાક સ્ટેશનની અંદર પહોંચ્યા અને પ્લેટફોર્મ (Railway Platform) પર ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો. તેમણે કહ્યું કે હુમલાને કારણે લાલગોલા લાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા હાવડામાં અથડામણ થઈ હતી. ઉપરાંત મુર્શિદાબાદમાં પણ હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહીવટીતંત્રે હાલ ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી.

હાવડામાં શુક્રવારની નમાજ બાદ હિંસા ફાટી નીકળી, 100ની ધરપકડ

તમને જણાવી દઈએ કે, 10 જૂને શુક્રવારની નમાજ બાદ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં બંગાળના હાવડા સહિત દેશના ઘણા વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા. બીજી તરફ હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી છે. શનિવારે રાત્રે, ઉલુબેરિયા, પંચાલા, જગતબલ્લવપુર અને ધુલાગઢ સહિત હાવડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં રૂટ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવાના મામલે બીજેપીના (BJP) પૂર્વ નેતા નૂપુર શર્માની  મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલામાં મુંબઈ પોલીસે(Mumbai Police) સમન્સ મોકલીને 25 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમના દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ મામલો ગરમાયો છે. તેમના તરફથી કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ સમુદાયના લોકો વિરોધ (Protest) કરવા માટે દેશના ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, ઉપરાંત ઘણી જગ્યાએ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું હતું. જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

Next Article