WhatIndiaThinksToday: Tv9 ના બે દિવસીય થિંક ફેસ્ટમાં 17 જૂને મુખ્ય વક્તા હશે અમિત શાહ, ડેવિડ કેમરોન અને હામિદ કરઝાઈ સહીતના દિગ્ગજો રહેશે ઉપસ્થિત

|

Jun 12, 2022 | 4:09 PM

TV9 ગ્રૂપની આ ઇવેન્ટ (TV9 Global Summit) રાજકારણ અને સરકાર, વેપાર અને અર્થતંત્ર, સામાજિક-સંસ્કૃતિ અને આરોગ્ય પ્રણાલી અને રમતગમત અને મનોરંજન જેવા ચાર મહત્વપૂર્ણ વિષયો પર ભાર આપે છે.

WhatIndiaThinksToday: Tv9 ના બે દિવસીય થિંક ફેસ્ટમાં 17 જૂને મુખ્ય વક્તા હશે અમિત શાહ, ડેવિડ કેમરોન અને હામિદ કરઝાઈ સહીતના દિગ્ગજો રહેશે ઉપસ્થિત
Former UK Prime Minister David Cameron (Left), Former Afghanistan President Hamid Karzai (Centre) and Union Home Minister Amit Shah

Follow us on

ભારતનું નંબર વન ન્યૂઝ નેટવર્ક  TV9  (Tv9 Network) દિલ્હીના તાજ પેલેસમાં 17 અને 18 જૂને ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ (What India Thinks Today) વૈશ્વિક સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ગ્લોબલ સમિટના (Global Summit)  પ્લેટફોર્મ પર રાજનીતિ, સરકાર, અર્થશાસ્ત્ર, આરોગ્ય, સંસ્કૃતિ અને રમતગમતની દુનિયાના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી લોકો ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, TV9 આ સમિટમાં 75 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ વકતવ્ય આપશે. આ ગ્લોબલ થિંક ફેસ્ટમાં વૈશ્વિક સ્તરે ભારતનો વધતો દાવો, વિશ્વ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક આતંકવાદ જેવા મહત્વના અને ગંભીર વિષયો પર મંથન કરવામાં આવશે.

આ દિગ્ગજો ચર્ચામાં ભાગ લેશે

આંતરરાષ્ટ્રીય વક્તાઓમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈનો સમાવેશ થાય છે. તેમજ રાષ્ટ્રીય વક્તાઓમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ મંચ પરથી ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ચર્ચામાં ભાગ લેશે.

આ અનોખા અને આવા મોટા ઈવેન્ટ (Global Summit Event) દ્વારા ભારત અને વિદેશના પ્રતિષ્ઠિત નીતિ ઘડવૈયાઓને એક મંચ પર લાવવા માટે TV9ની આ પહેલની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. 130 કરોડ ભારતીયોને જોડવાની આકાંક્ષા સાથે, ‘વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં “વિશ્વગુરુ: કિતને પાસ કિતને દૂર” થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કાર્યક્રમના પહેલા દિવસે 17 જૂને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સમિટનું મુખ્ય ભાષણ આપશે, જ્યારે 18 જૂને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) બીજા દિવસે સમિટનું ઉદ્ઘાટન કરશે. 15 કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ અને દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભારત વિશ્વગુરુ બનવાની કેટલી નજીક છે તેના પર પોતાનો દ્રષ્ટિકોણ આપશે.

યુકેના ભૂતપૂર્વ PM અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઉત્સાહિત

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન આ વૈશ્વિક મંચ પરથી ‘ઈન્ડિયા ઈન ધ ન્યૂ ઈન્ટરનેશનલ ઓર્ડર’ થીમ પર વક્તવ્ય આપશે, જ્યારે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ ‘ટેરરીઝમ: એનિમી ઓફ હ્યુમેનિટી’ વિષય પર વાત કરશે.ગ્લોબલ સમિટમાં તેમની સહભાગિતા અંગે ઉત્સાહિત ડેવિડ કેમેરોને જણાવ્યું હતું કે, ‘ TV9ની ગ્લોબલ સમિટ સાથે જોડાઈને મને આનંદ થાય છે, જેમાં ભારતના કેટલાક તેજસ્વી લોકો આજના વિશ્વના પડકારો અને શક્યતાઓની ચર્ચામાં જોડાશે. અમને અત્યંત ગર્વ છે કે અમે અમારા વડા પ્રધાનપદ દરમિયાન બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કર્યું છે. અમે 2010 માં વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વચ્ચેનું પ્રથમ વેપાર મિશન પાછું લાવ્યું છે.’

વધુમાં તેમણે કહ્યું, ‘તે ખૂબ જ આનંદદાયક છે કે અમે વર્તમાન વિશ્વથી એક દાયકાથી વધુ દૂર રહ્યા પછી આ ભાગીદારીનું પરીક્ષણ કરવા માટે પાછા ફરી રહ્યા છીએ. ભલે પડકારો અલગ-અલગ હોય, પરંતુ બંને દેશો વચ્ચેની ભાગીદારી અતૂટ છે. આ મુદ્દા પર વાત કરવા માટે ઘણા વિષયો છે. તેથી જ હું આ મહત્વપૂર્ણ પરિષદ સાથે સંકળાયેલા રહેવા માટે ઉત્સુક છું.’

અફઘાનિસ્તાનના (Afghanistan) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ​​કહ્યું, ‘હું TV9ની આ વૈશ્વિક સમિટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હું ઉત્સાહિત છું.’

ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા જરૂરી: CEO બરુણ દાસ

TV9 નેટવર્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બરુણ દાસે જણાવ્યું હતું કે, ‘આ સમિટનો ઉદ્દેશ્ય સંવાદ, ચર્ચાઓ અને વિચાર-વિમર્શ દ્વારા વૈશ્વિક ક્ષેત્રે ભારતના નેતૃત્વ માટે રોડમેપ તૈયાર કરવાનો છે. કોઈપણ યાત્રા પડકારો વિનાની નથી. ઈરાદો જેટલો ઉમદા, તેટલો મહત્વાકાંક્ષી. આ લક્ષ્ય મજબૂત નેતૃત્વ, સામૂહિક ઇચ્છાશક્તિ અને સમગ્ર રાષ્ટ્રની પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે. આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રવચન દ્વારા ભારતને ‘વિશ્વ ગુરુ’ બનાવવા માટે નવી અને ક્રાંતિકારી વિચારસરણી અને વિચારો પેદા કરવાનો છે.”

આ સમિટમાં ચાર મહત્વના વિષયો પર ભાર

આ ઇવેન્ટ રાજકારણ અને શાસન, વેપાર અને અર્થતંત્ર, સામાજિક-સંસ્કૃતિ અને આરોગ્ય પ્રણાલી અને રમતગમત અને મનોરંજન જેવા ચાર મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભારતે નવી વિશ્વ વ્યવસ્થાનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરવો તેના પર ચર્ચા થશે. તેમજ તમામ જાણીતા અને અજ્ઞાત કારણો અને પડકારો કે જેનો આપણે સામનો કરીએ છીએ તેની અર્થપૂર્ણ ચર્ચા હશે. ભારત વિશ્વના તમામ રાષ્ટ્રોમાં યોગ્ય અને આદરણીય સ્થાન મેળવવા ઈચ્છે છે.

Published On - 12:25 pm, Sun, 12 June 22

Next Article