એપ્રિલ 2022 થી ભારતમાં Vehicle Scrappage Policy કરાશે લાગુ, જાણો તમારા વાહનને શું થશે અસર?
ભારતમાં સરકારી વિભાગો અને પીએસયુ દ્વારા ખરીદવામાં આવેલા 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે અને 1 એપ્રિલ 2022 થી તેનો અમલ કરવામાં આવશે.

ભારતમાં સરકારી વિભાગો અને પીએસયુ દ્વારા ખરીદવામાં આવેલા 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે અને 1 એપ્રિલ 2022 થી તેનો અમલ કરવામાં આવશે. માર્ગ પરિવહન, હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ વાહન સ્ક્રેપેજ નીતિ(Vehicle Scrappage Policy)ને મંજૂરી આપી છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ સરકાર વિભાગ અને પીએસયુની માલિકીના 15 વર્ષથી વધુ જુના વાહનોની નોંધણી રદ અને સ્ક્રેપ કરવાની નીતિને મંજૂરી આપી છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હજી સુધી જાહેરાત કરવાની બાકી છે, આ નીતિ ભારતમાં 1 એપ્રિલ 2022 થી લાગુ કરવામાં આવશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અને પ્રમોશનને વેગ આપવા માટે સરકારે જુલાઈ 26, 2019 ના રોજ, મોટર વાહનના માપદંડમાં સુધારાની દરખાસ્ત કરી હતી, જેથી 15 વર્ષ કરતા વધુ જૂનાં વાહનોને દૂર કરવામાં આવી શકે. 15 જાન્યુઆરીએ માર્ગ પરિવહન, રાજમાર્ગો અને એમએસએમઈ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે દરખાસ્ત રજૂ કરી છે અને હું આશા રાખું છું કે વહેલી તકે સ્ક્રેપિંગ નીતિ માટે મંજૂરી મળી જશે.
પ્રધાન નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે એક વખત નીતિ મંજૂર થઈ જશે પછી ભારત એક ઓટોમોબાઈલ હબ બનશે અને ઓટોમોબાઈલના ભાવ પણ નીચે આવી જશે. તેમણે કહ્યું હતું કે જુના વાહનોમાંથી રિસાયકલ કરેલી સામગ્રીની કિંમતોને ઘટાડવામાં મદદ મળશે. અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, જૂના વાહનોને નાબૂદ કરવાની નીતિ “પ્રગતિ હેઠળ છે” અને સુધારા પછી મંત્રાલયો દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.
મે 2016 માં, સરકારે એક સ્વૈચ્છિક વાહન ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ (V-VMP) બનાવ્યો, જેણે દાયકા જુના 28 મિલિયન વાહનોને રસ્તા પરથી દૂર કરવાની દરખાસ્ત કરી હતી.