દેશનું સૌથી પ્રખ્યાત મંદિર કેદારનાથ (kedarnath temple) પહેલાથી જ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ શુક્રવારથી અહીં હવાઈ સેવા (kedarnath heli service) પણ શરૂ કરવામાં આવી છે. ખરેખર હેલી સેવા શરૂ કરવા માટે ડીજીસીએ તરફથી હજી સુધી પરવાનગી મળી ન હતી. પરંતુ હવે ડીજીસીએની પરવાનગી મળી ગઈ છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. UCADAના સીઈઓ સ્વાતિ ભદૌરિયાએ કહ્યું કે, હેલી સેવા 1 ઓક્ટોબરથી કેદારનાથ માટે ગુપ્તકાશી, ફાટા અને સિરસી હેલિપેડથી શરૂ થશે.
આ માટે ત્રણેય હેલિપેડ પર તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બીજી બાજુ, જો તમે હેલી સેવા દ્વારા કેદારનાથ જઇ રહ્યા છો, તો પણ તમામ મુસાફરોએ કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવું પડશે. હેલીપેડનું નિરીક્ષણ કર્યા બાદ, DGCA તરફથી હેલી સેવા ચલાવવા માટે પરવાનગી પણ આપવામાં આવી છે. વેબસાઈટ પર હેલી સેવા માટે ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિનાથ રમણે જણાવ્યું હતું કે, હેલી સેવા દ્વારા કેદારનાથની મુલાકાત લેનાર મુસાફરોનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ઈ-પાસ આપવામાં આવશે. તે જ સમયે, કલેકટરે સૂચના આપી છે કે, જો કોઈ મુસાફર સમયસર પહોંચી શકતો નથી, તો તેના સ્થાને અન્ય નોંધાયેલા મુસાફરને પાસ આપવામાં આવશે.
કલેકટર મનુજ ગોયલે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ રોડ દ્વારા ઇ-પાસ વગર કેદારનાથ જઇ શકે નહીં. દેવસ્થાનમ બોર્ડના પોર્ટલ પરથી ઈ-પાસ આપવામાં આવી રહ્યા છે. તેથી, મુસાફરોએ કોઈ દલાલ અથવા ગેરમાર્ગે દોરનારાની આડમાં ન આવવું જોઈએ. કલેકટરે જણાવ્યું કે, 15 ઓક્ટોબર સુધી દેવસ્થાનમ બોર્ડના ઈ-પાસ પોર્ટલ પર બુકિંગ પૂર્ણ થઈ ગયું છે.
તેથી, જે કોઈ આ સમય દરમિયાન કેદારનાથ આવવાનું વિચારી રહ્યો છે, તેઓ રોકાઈ જજો. તેમણે કહ્યું કે, કેદારનાથમાં એક દિવસમાં 800 ભક્તોના દર્શનની વ્યવસ્થા છે. જો, આ સંખ્યા ઓછી રહે છે, તો ઇ-પાસ દ્વારા અહીં પહોંચેલા અન્ય મુસાફરોને દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં આ સંભાવના ઘણી ઓછી છે.
આ પણ વાંચો: ઓક્ટોબરની પહેલી તારીખે જ સરકારને મળી ખુશખબરી ! જાણો GST કલેક્શનમાં કેટલો થયો વધારો