Uttarakhand Chardham Yatra: 19 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો પ્રારંભ, CM પુષ્કરસિંહ ધામીનું એલાન

|

Sep 17, 2021 | 1:49 PM

ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે બદ્રીનાથ ધામમાં 1200, કેદારનાથ ધામમાં 800, ગંગોત્રીમાં 600 અને યમનોત્રી ધામમાં 400 ભક્તો અથવા યાત્રીઓને મંજૂરી આપી

Uttarakhand Chardham Yatra: 19 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો પ્રારંભ, CM પુષ્કરસિંહ ધામીનું એલાન
CM Pushkar Singh Dhami

Follow us on

Uttarakhand Chardham Yatra: ઉત્તરાખંડમાં લાંબા સમયથી બંધ થયેલી ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે કહ્યું છે કે ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. જણાવી દઈએ કે ચારધામ યાત્રામાં આવતા જિલ્લાઓમાં સારી આરોગ્ય સુવિધાઓનો અભાવ અને કોવિડ રોગચાળાના ત્રીજા મોજાના ખતરાને જોતા હાઈકોર્ટે 28 જૂને ચારધામ યાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. 

જે બાદ ગુરુવારે યોજાયેલી મહત્વની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેટલાક પ્રતિબંધો સાથે ચાર ધામ યાત્રાને મંજૂરી આપી હતી. ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે બદ્રીનાથ ધામમાં 1200, કેદારનાથ ધામમાં 800, ગંગોત્રીમાં 600 અને યમનોત્રી ધામમાં 400 ભક્તો અથવા યાત્રીઓને મંજૂરી આપી છે. આ ઉપરાંત, કોર્ટે દરેક ભક્તને કોવિડ નેગેટિવ રિપોર્ટ અને બે રસીનું પ્રમાણપત્ર સાથે રાખવા પણ કહ્યું છે. 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

ભક્તોને કુંડમાં સ્નાન કરવાની મંજૂરી નહી

આ ઉપરાંત, હાઇકોર્ટે તેના આદેશમાં ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાઓમાં યોજાનારી ચારધામ યાત્રા દરમિયાન જરૂરિયાત મુજબ પોલીસ દળ તૈનાત કરવા જણાવ્યું છે. આ સિવાય ભક્તો કોઈપણ કુંડમાં સ્નાન કરી શકશે નહીં.

દરેક જગ્યાએ પર્યાપ્ત તબીબી વ્યવસ્થા

હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે ચારેય ધામમાં સંપૂર્ણ તબીબી સુવિધાઓ હોવી જોઈએ. મેડિકલ સ્ટાફ, નર્સો, ડોક્ટરો, ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. મુસાફરી દરમિયાન સરકારે મેડિકલ હેલ્પલાઇન જારી કરવી જોઈએ. જેથી બીમાર લોકો સરળતાથી આરોગ્ય સંબંધિત સુવિધાઓ વિશે જાણી શકે. બદ્રીનાથમાં પાંચ, કેદારનાથમાં ત્રણ ચેકપોસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.

ભવિષ્યમાં, જો કોવિડના કેસો વધે છે, તો સરકાર મુસાફરી મુલતવી રાખી શકે છે. આ સાથે જ કોર્ટે ચારેય ધામમાં એન્ટી સ્પાઉટિંગ એક્ટનો અસરકારક રીતે અમલ કરવાનું કહ્યું છે. આ યાત્રા પર નજર રાખવા અને દર અઠવાડિયે કોર્ટમાં તેનો અહેવાલ રજૂ કરવા માટે ત્રણ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળને સૂચનાઓ આપવામાં આવી છે.

Published On - 1:00 pm, Fri, 17 September 21

Next Article