AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aligarh Violence: નમાઝ દરમિયાન બે સમુદાયો સામસામે, મસ્જિદ પર પથ્થરમારો કરવાનો આરોપ, 10 વિરુદ્ધ કેસ દાખલ

Aligarh Violence: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે શનિવારે રાત્રે હંગામો થયો હતો. સાંજની નમાજ બાદ કેટલાક અરાજક તત્વો ત્યાં આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. કેટલાક લોકો મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા.

Aligarh Violence: નમાઝ દરમિયાન બે સમુદાયો સામસામે, મસ્જિદ પર પથ્થરમારો કરવાનો આરોપ, 10 વિરુદ્ધ કેસ દાખલ
Violence - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 4:45 PM
Share

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢમાં (Aligarh) નમાઝ દરમિયાન બે સમુદાયો સામસામે આવી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ઉપરકોટ કોતવાલી વિસ્તારમાં મોડી રાત્રે અરાજક તત્વોએ મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પથ્થરમારાને કારણે એક યુવક ઘાયલ થયો હતો. માહિતી મળતાં જ પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિતોની ફરિયાદ પર 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હંગામો મચાવનાર અરાજક તત્વોની શોધમાં છે. સીઓ કહે છે કે જેમણે મસ્જિદ પર પથ્થરમારો કર્યો છે, આવા લોકોને બક્ષવામાં આવશે નહીં. તંગદિલીભર્યા વાતાવરણને જોતા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે શનિવારે રાત્રે હંગામો થયો હતો. સાંજની નમાજ બાદ કેટલાક અરાજક તત્વો ત્યાં આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. કેટલાક લોકો મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. તેમને જોતા જ મસ્જિદ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પણ જ્યારે કોઈ બહાર ન આવ્યું તો આરોપીઓ લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યા. તેણે લોકોને માર પણ માર્યો હતો.

બાળકો અને મહિલાઓ પર પથ્થરમારો કર્યો

એવું કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો દ્વારા અપશબ્દોની સાથે ધાર્મિક નારા પણ લગાવવામાં આવ્યા હતા. તેઓએ બાળકો અને મહિલાઓ પર પણ પથ્થરમારો કર્યો હતો. લોકો કંઇક સમજે ત્યાં સુધીમાં આરોપીઓ પથ્થરમારો કરીને ત્યાંથી ભાગી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો કાબૂમાં લીધો હતો.

મહિલાઓ સાથે ગેરવર્તનનો આરોપ

સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે કેટલીક મહિલાઓ બેઠી હતી અને કેટલાક લોકોએ ગેરવર્તન શરૂ કર્યું. આ પછી તેમણે અચાનક મસ્જિદ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જ્યારે તેઓ પોલીસને જાણ કરવા ચોકી પર ગયા તો કેટલાક લોકો ફરી આવ્યા અને પથ્થરમારો કરવા લાગ્યા.

10 અજાણ્યા લોકો પર FIR, CCTV દ્વારા ઓળખવામાં આવશે

પોલીસ ઇન્સ્પેક્ટર બ્રિજેશ કુમારે જણાવ્યું કે પીડિતોની ફરિયાદ પર 10 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. હુમલાખોરોની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ દોષિતોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : 18 થી 22 એપ્રિલ દરમિયાન આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ યોજાશે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આપશે હાજરી

આ પણ વાંચો : મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આતંકવાદી કહેવા પર 200 લોકો સામે FIR, SP ઓફિસ બહાર હોબાળો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">