Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે, આજે બે અરજીઓ પર દલીલો કરવામાં આવી

|

May 30, 2022 | 4:48 PM

કોર્ટમાં કરાયેલી અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સર્વેનો ફોટો અને વીડિયો સાર્વજનિક કરવા અરજી કરવામાં આવી હતી, જોકે મુસ્લિમ પક્ષે સર્વે રિપોર્ટને સાર્વજનિક ન કરવા અપીલ કરી છે.

Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે, આજે બે અરજીઓ પર દલીલો કરવામાં આવી
Gyanvapi Masjid

Follow us on

ઉત્તર પ્રદેશના વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં (Gyanvapi Masjid Case) આજે સ્થાનિક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં કરાયેલી અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો ફોટો અને વીડિયો સાર્વજનિક કરવા અરજી કરવામાં આવી હતી, જોકે મુસ્લિમ પક્ષે સર્વે રિપોર્ટને સાર્વજનિક ન કરવા અપીલ કરી છે. બીજી તરફ, અન્ય એક અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવા અને તેમને પૂજા કરવાની મંજૂરી આપવાની માગ કરવામાં આવી હતી, આ અંગેની સુનાવણી પૂર્ણ થઈ હતી અને કોર્ટે આગામી સુનાવણી માટે 4 જુલાઈની તારીખ નક્કી કરી છે.

વિશ્વ વૈદિક સનાતન સંઘના મહાસચિવ કિરણ સિંહ વતી સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરની કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં જ્ઞાનવાપી સંકુલમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, હિંદુઓને જગ્યા સોંપવા તેમજ જ્ઞાનવાપીમાં મળી આવતા આદિ વિશ્વેશ્વર શિવલિંગની નિયમિત પૂજા કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી.

શિવલિંગ મળ્યાનો દાવો

હિંદુ પક્ષે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે 25 મેના રોજ સુનાવણી થઈ હતી. તમને જણાવી દઈએ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં એડવોકેટ કમિશનરના સર્વે બાદ હિન્દુ પક્ષે વજુખાનામાં શિવલિંગ મળ્યાનો દાવો કર્યો હતો. આ પછી તરત જ કોર્ટે વઝુખાનાને સીલ કરવા અને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

સાથે જ મુસ્લિમ પક્ષે શિવલિંગના દાવાને ખોટો ગણાવ્યો હતો અને ફુવારો હોવાની ચર્ચા હતી. સાથે જ આ બધાની વચ્ચે સર્વે રિપોર્ટને સાર્વજનિક કરવાની પણ સતત માગ કરવામાં આવી રહી છે. જેના માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે.

નોંધનીય છે કે 18 ઓગસ્ટ, 2021ના રોજ દિલ્હીની રાખી સિંહ સહિત પાંચ મહિલાઓએ સિવિલ જજની કોર્ટમાં જ્ઞાનવાપી સંકુલમાં શૃંગાર ગૌરી સહિત અન્ય દેવતાઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનની કાર્યવાહી જ્ઞાનવાપી કેમ્પસમાં થઈ હતી, જેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં, મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતને મૂળ કેસના ગુણદોષ પર સર્વે અને સુનાવણી અટકાવવાની માંગ કરી હતી.

Published On - 4:48 pm, Mon, 30 May 22

Next Article