Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)મંગળવારે મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિર પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી. વાસ્તવમાં સીએમ યોગી સોમવારે બે દિવસના પ્રવાસ પર મથુરા (mathura)પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે પોતાના બીજા દિવસની શરૂઆત શ્રી કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લઈને કરી હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિ પહોંચ્યા બાદ સીએમ યોગીએ સૌથી પહેલા ગર્ભ ગ્રહમાં ભગવાન કેશવ દેવ મા જોગમાયા અને શ્રી કૃષ્ણની પૂજા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવ્યા પછી. આ સાથે જ મંદિરના સંચાલક દ્વારા ભગવાન કૃષ્ણની મૂર્તિ મુખ્યમંત્રી યોગી આદિનાથને પણ રજૂ કરવામાં આવી છે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath offers prayers at Shri Krishna Janmasthan Temple in Mathura pic.twitter.com/rOqmVMpsSo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2022
શ્રી કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી યોગી આદિનાથ મથુરાના મહાવનમાં રસખાન સમાધિ માટે રવાના થયા. ગોકુલ પહોંચ્યા બાદ તેમણે રસખાન સમાધિના દર્શન કર્યા. રસખાન સમાધિની સાથે મુખ્યમંત્રીએ તાજ બીબી સહિત અન્ય પરિસરોની પણ મુલાકાત લીધી હતી અને તેની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તીર્થ વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ પ્રશંસા કરી છે.
લગભગ દોઢ કલાક સુધી ચાલેલી ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ બોર્ડ કાઉન્સિલની બેઠકમાં મુખ્ય પ્રધાન યોગી આદિનાથની સામે વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. જેમાં તેઓ વિકાસ કામોની સમીક્ષા બેઠક પણ યોજશે. આ પછી તે બરસાનામાં રાધા રાની મંદિર જવા રવાના થશે. જ્યાં તેઓ રાધા રાણીના દર્શન કરશે અને ત્યાર બાદ તેઓ બરસાના સ્થિત સંત વિનોદ બાબાના આશ્રમ પહોંચશે અને વિનોદ બાબાને મળશે.
Published On - 10:08 am, Tue, 7 June 22