Rahul Gandhi On China: ચીને આપણી કેટલીક જમીન પર કબજો કર્યો, રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીના પ્રશ્નનો આપ્યો જવાબ

ભારતીય વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને ભારત-ચીન સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. રાહુલને એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, આગામી 5-10 વર્ષમાં ભારત-ચીન સંબંધો કેવી રીતે વિકસિત થતા જોઈ રહ્યા છો.

Rahul Gandhi On China: ચીને આપણી કેટલીક જમીન પર કબજો કર્યો, રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીના પ્રશ્નનો આપ્યો જવાબ
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 12:39 PM

USA: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે આજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલે (Rahul Gandhi) કહ્યું કે જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની સદસ્યતા રદ કરવામાં આવશે. પરંતુ એ પણ ખુશીની વાત છે કે મને લોકોની સેવા કરવાનો અને મળવાનો મોકો મળ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને ભારત-ચીન સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. રાહુલને એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, આગામી 5-10 વર્ષમાં ભારત-ચીન સંબંધો કેવી રીતે વિકસિત થતા જોઈ રહ્યા છો.

સરહદ પર શાંતિ નહીં થાય ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે

વિદ્યાર્થીને જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ બહુ મુશ્કેલ છે. મારો મતલબ છે કે ચીને આપણા કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છે. રાહુલે ચીનના મુદ્દે ઘણી વખત ભારતમાં કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમના નિવેદન પર વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે બંને દેશોના હઠીલા વલણથી સારા સંબંધોની આશા ન રાખી શકો. જૂન 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ઘાતક અથડામણ પછી બંને દેશો વચ્ચેના સંબંધો ગંભીર તણાવ હેઠળ આવ્યા હતા. ભારતે કહ્યું કે જ્યાં સુધી સરહદ પર શાંતિ નહીં થાય ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

ભારતની નીતિનું સમર્થન કર્યું

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોતાની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની નીતિનું સમર્થન કર્યું છે. ગાંધીએ કહ્યું કે પશ્ચિમી દેશોના દબાણ પછી પણ હું રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાના ભારતના નિર્ણયનું સમર્થન કરું છું. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના સ્ટેન્ડને કેવી રીતે જુઓ છો? જેના જવાબમાં રાહુલે કહ્યું કે રશિયા સાથે આપણા જૂના સંબંધો છે. આપણે રશિયા પર કેટલીક નિર્ભરતા ધરાવીએ છીએ. એટલા માટે મારું સ્ટેન્ડ ભારત સરકાર સાથે છે.

આ પણ વાંચો : Breaking News: મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે

125 લોકોથી લાખો લોકો સુધી પહોંચ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે 125 લોકો સાથે શરૂ થયેલી યાત્રા લાખો સુધી પહોંચી. ઘણા લોકોએ પૂછ્યું કે આ પ્રવાસમાંથી શું શીખવા મળ્યું. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. અમે લોકોને એગ્રીકલ્ચરથી લઈને હેલ્થકેરથી લઈને એજ્યુકેશન સુધીની દરેક બાબતો વિશે જણાવ્યું. આપણા દેશમાં રાજકારણ અને સામાન્ય લોકો વચ્ચે બહુ મોટું અંતર છે. તેમણે કહ્યું કે પોલીસ, મીડિયા, સોશિયલ મીડિયા, સંસ્થાઓ તમામ સરકાર સાથે છે. તેમની પાસે શક્તિ હતી, બળ હતું, પરંતુ અમને રોકી શક્યા નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">